નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)અને NRCનાં મુદ્દા પર છેલ્લા એક મહિનાંથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દેશનાં અલગ અલગ વિસ્તાપોમાં અલગ અલગ સંગઠનો રોજ રોજ પ્રદર્શન કરી રહ્યાં છે અને માર્ચ , રેલી કઢી રહ્યાં છે. આજે કેટલાય સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ ઉપરાંત શાહીન બાગનું વિરોધ પ્રદર્શન આજે પણ ચાલું રહેશે.
CAA-NRCનાં વિરોધમાં આજે ફરી ભારત બંધ
દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું
શાહીન બાગનાં લોકો જંતર મંતર જઈ પ્રદર્શન કરશે
નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)વિરુદ્ધ ભારત બંધ
સીએએ, એનઆરસીની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલાય સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. એક વાર ફરી 29 જાન્યુઆરીએ કેટલાક સંગઠનોએ ભારત બંધનું આહવાહન કર્યું છે. બહુજન ક્રાંતિ મોર્ચા તરફથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને કેટલાય દલિત સંગઠનોનું સમર્થન છે. મંગળવારે આખો દિવસ ટ્વીટર પર #कल_भारत_बंद_रहेगा ટ્રેન્ડમાં હતું અને લોકોએ તેમાં જોડાવા કહેવામાં આવી રહ્યું હતું.
શાહીન બાગની મહિલાઓ જંતર મંતર માર્ચ કરશે
શાહીન બાગની મહિલાઓ છેલ્લા 40 દિવસથી શાહિન બાગમાં CAA અને NRCની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ જ મહિલાઓ જંતર મંતર પર જઈ પ્રદર્શન કરશે. આજે તેઓ શાહીન બાગથી જંતર મંતર પર માર્ચ કરશે. આ દરમિયાન શાહીન બાગની દાદીઓ પ્રદર્શનને સંબોધિત કરશે. શાહીન બાગને લઈને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજનીતિ ગરમાયી છે અને ભાજપ તથા AAPની વચ્ચે આર પારનો જંગ છેડાયો છે.