અગ્નિકાંડ / ભંડારા હોસ્પિટલ આગમાં 3 નવજાતના દાઝવાથી અને 7ના મોત ગૂંગળામણથી થયા : સ્વાસ્થ્ય મંત્રી ટોપે

bhandara hospital fire 3 babies succumbed to burns 7 suffocated to death says health minister

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારની રાતે આગ લાગવાથી સિક ન્યૂર્બોર્ન કેર યૂનિટમાં હાજર 10 નવજાત બાળકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં જાણકારી મળી છે. તેના જણાવ્યાનુંસાર 3 નવજાત બાળકોના આગમાં ભડથૂ થવાથી મોત થયા છે જ્યારે સાતના શ્વાસ રુંધાવાથી મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર ઘટનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે પ્રત્યેક મૃતક શીશુના પરિવારના સભ્યોને 5 લાખ રુપિયા વળતર આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ