અત્યારે જ્યાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સામાન્ય ફ્લૂ અને સંક્રમણથી પણ લોકોમાં ભય પેદા થવા લાગ્યો છે. ફ્લૂનો પ્રકોપ વધી ગયો છો. પણ તેનાથી ડરવાની જરૂર નથી. તેની સામે લડવાની જરૂર છે. જો તમને સામાન્ય શરદી-ખાંસી, ફ્લૂ કે ઈન્ફેક્શન થાય તો અહીં જણાવેલાં નુસખાઓ અજમાવી શકો છો. આ તમારી ઈમ્યૂનિટી તો સારી કરશે જ સાથે જ તમને ફ્લૂ અને ઈન્ફેક્શન, શરદી-ખાંસી પણ બચાવશે. જેથી કોરોના થવાના ચાન્સિસ નહીં રહે. ચાલો જાણીએ આ નુસખાઓ વિશે.
ઈન્ફેક્શન અને ફ્લૂથી બચવા ઘરેલૂ ઉપાય બેસ્ટ
આ ઉપાયથી નહીં થાય શરદી-ખાંસીની સમસ્યા
કોરોનાથી બચવા ઈમ્યૂનિટી પણ વધારશે
તુલસી છે રામબાણ
રોજ સવારે 5 તુલસીના તાજાં પાન ધોઈને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન અને ફ્લૂ સામે રક્ષણ મળે છે. શરદી-ખાંસી પણ થતી નથી.
બેસ્ટ ઔષધી ગિલોય
ગિલોય એક બેસ્ટ ઔષધી છે. ગિલોય અને તુલસીના પાન સાથે ઉકાળીને ગાળીને તેમાં કાળા મરીનો પાઉડર અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પીવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. તમે ગિલોયની ગોળી અથવા ગિલોય પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. આને રોજ ખાવાથી ફ્લૂ અને ઈન્ફેક્શન થતું નથી.
દૂધ અને હળદર
જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે. તેનાથી ફ્લૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે.
આમળા
આમળામાં ભરપૂર વિટામિન સી હોય છે. તેનો રસ રોજ પીવાથી પણ શરીર નિરોગી રહે છે અને ઈમ્યૂનિટી પણ વધે છે. ઈન્ફેક્શન અને ફ્લૂથી બચવા રોજ આમળા ખાવા જોઈે.
લસણ
રોજ સવારે ખાલી પેટ લસણની 2 કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધાં પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે.
પ્રાણાયામ
પ્રાણાયાન એટલે બ્રીધિંગ એક્સરસાઈઝ નિયમિત રીતે કરવાથી શ્વસન તંત્ર મજબૂત થાય છે અને ફ્લૂથી જોડાયેલા કોઈપણ સંક્રમણ થતાં નથી અને હેલ્ધી રહી શકાય છે.