ચોમાસામાં સૌથી વધુ વાળ ખરે છે. આ સીઝનમાંવાતાવરણ ભેજવાળું હોવાને કારણે વાળમાં ખોડો, વાળ ચીકણા અને બરછટ થઇ જાય છે. ચાલો જાણીએ વાળ માટે બેસ્ટ ઉપાય.
ચોમાસામાં ભેજને કારણે વાળ પુષ્કળ ખરે છે
ચોમાસામાં ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જાય છે
આ ટિપ્સ વાળને રાખશે એકદમ હેલ્ધી
આ ઋતુમાં વાળ ભીના થાય કે ધોયા હોય તો તે પછી જલદી સૂકાતા નથી તથા સ્કાલ્પમાં ભેજ રહી જાય છે. તેના કારણે વાળ વધારે ખરે છે અને ખોડો પણ થઇ જાય છે.
જો વરસતા વરસાદમાં વાળ પલળ્યા તો વાળને વધુ નુકસાન થાય છે. વાળ ખરવા, ચીકણો ખોડો થાય, ખંજવાળ આવે, જૂ-લીખ થઇ જાય વગેરે જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જો વાળ ખરતાં હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ પ્રમાણે તમે આયુર્વેદિક દવા અથવા તે માટે ખાસ બનાવવામાં આવતાં તેલનો ઉપયોગ કરી શકો છો.
જો વાળમાં ખોડો, ફંગસ કે જૂ-લીખ થતાં હોય કે ખંજવાળ આવતી હોય, તો હેર ઓઇલમાં 1 ચમચી લીમડા તથા કણજીનું તેલ નાખી વાળમાં માલશિ કરવી. જૂ-લીખ કે ખોડો વધુ હોય તો અઠવાડિયામાં 1થી 2 વાર રાત્રે નીમ તેલ, કરંજ તેલ કે સેફતેલ જેવા તેલ રાત્રે સ્કેલ્પમાં લગાવી સવારે વાળ ધોવાથી જૂ-લીખ દૂર થાય છે.
આ ઋતુમાં વરસતા વરસાદમાં વાળ પલળે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. પ્લાસ્ટિકની કેપ કે શાવર કેપ હંમેશાં સાથે રાખવી.
ચોમાસામાં વાળ સાંજ પછી કે રાત્રે કદી ધોવા નહીં. સાંજ પછી વાળ ધોવાથી વાળ પૂરેપૂરા કોરા થતા નથી. પરિણામે સ્કાલ્પમાં ભેજ રહી જાય છે. જે વાળના મૂળને નુકસાન કરે છે. આ ઋતુમાં વાળ વારંવાર ધોવા નહીં. ૫-૬ દિવસ બાદ જ વાળ ધોવા હિતાવહ છે.
ચોમાસા દરમિયાન વારંવાર વાળમાં મેંદી કે હેરપેક લગાવવા નુકસાનકર્તા છે. બને ત્યાં સુધી ચોમાસામાં મેંદી કે હેરપેક ન લગાવવા અને જો લગાવવા પડે તેમ જ હોય, તો પણ બને એટલા ઓછા લગાવી થોડો સમય પૂરતાં જ રાખવા.
વાળમાં ખંજવાળ આવતી હોય તો લીંબુનો પ્રયોગ તેના માટે બેસ્ટ ઈલાજ છે. 1 નાના લીંબુનો રસ લઈ 1 કપ પાણીમાં મિક્સ કરી લો. પછી તેને વાળ અને સ્કેલ્પમાં લગાવીને અડધો કલાક રાખો અને પછી વાળ ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરો. થોડાં દિવસોમાં જ ખંજવાળની સમસ્યા દૂર થઈ જશે.
બેકિંગ સોડા બધાંના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ ઉપાય ખૂબ જ કારગર પણ છે. તેના માટે 2 ચમચી બેકિંગ સોડાને થોડાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને સ્કેલ્પમાં લગાવો અને 20 મિનિટ બાદ વાળ ધોઈ લો.