મોર પંખ હિંદૂ ધર્મની સૌથી પવિત્ર વસ્તુઓમાંથી એક છે. મોર પંખ દુર્ભાગ્ય દૂર કરી સૌભાગ્ય વધારવા માટે મદદ કરે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોર પંખનું મહત્વનું સ્થાન છે. જો ઘરમાં સરખી જગ્યાએ મોર પંખ રાખવામાં આવે તો ઘણા લાભ મળે છે.
જાણો મોર પંખના કેટલાક સરળ ઉપાયો જે તમારું નસીબ બદલી શકે છે...
જો કોઇ જરૂરી કામ પૂરું થતાં થતાં રહી જતું હોય અથવા તો બહુ સમયથી કોઇ કામ અધૂરું હોય તો બેડરૂમની પૂર્વ-દક્ષિણ દિશામાં મોર પંખ લગાલો. તમામ અધૂરા અથવા તો રોકાયેલા કામ પૂરાં થઇ જશે.
ઘર અથવા તો દુકાનની દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પંખ સ્થાપિત કરવાથી ઘર-પરિવારમાં રૂપિયાની તંગી પૂરી થઇ જશે.
ઘરના મુખ્ય દરવાજા પર 3 મોર પંખ સ્થાપિત કરો. આ મોર પંખની નીચે ભગવાન શ્રીગણેનું ચિત્ર અથવા તો નાની મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થઇ જશે.
જે વ્યકિત હંમેશા પોતાની પાસે મોર પંખ રાખે છે તો તમામ કામમાં નસીબનો સાથ મળે છે. સાથે જ પોતાના ખિસ્સા અને ડાયરીમાં મોર પંખ રાખવાથી રાહૂના દોષ પણ દૂર થાય છે.
કોઇ પણ શુભ દિવસ પર મોર પંખ લઇને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાંથી આવતા-જતાં તમામ લોકોની નજર પડે. આ એ માટે કેમકે મોર પંખ ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓને નષ્ટ કરીને પોઝિટિવ એનર્જી વધારે છે.