કપૂરમાં અનેક ઔષધિય ગુણો હોવાના કારણે તે અનેક રોજિંદી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે પણ જાણો ફાયદા અને આજથી શરૂ કરો ઉપયોગ.
કપૂર ઝાડની છાલમાંથી મળે છે
કપૂરનું વૈજ્ઞાનિક નામ સિનામોમસ કૈફોરા છે
જાણો કઈ બીમારીમાં કપૂર તમને રાહત આપે છે
પૂજા પાઠમાં વપરાતુ કપૂર અનેક ઔષધિયો ગુણો ધરાવતું હોવાના કારણે ઘણું લોકપ્રિય છે. કપૂર ઝાડની છાલમાંથી મળે છે. તેનું તેલ પણ અનેક સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. કપૂરનું વૈજ્ઞાનિક નામ સિનામોમસ કૈફોરા છે. તેની સ્મેલ ખૂબ જ હાર્ડ હોય છે. તેમાં ટરપીન હોય છે તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તો જાણો કઈ બીમારીમાં કપૂર તમને રાહત આપે છે.
જાણો શું છે કપૂરના ફાયદા
દેશના અનેક આયુર્વેદિક એક્સપર્ટનું માનવું છે કે ચહેરાના ડાઘને ઘટાડવા માટે ભીમસેની કપૂરનો ઉપયોગ કરાય છે. આ સિવાય સ્કીનમાં સૂકાપણું અને શુષ્ક ત્વચાના કારણે તે ધબ્બાવાળી દેખાય છે.કપૂરને નારિટેળના તેલમાં મિક્સ કરીને સ્કીન પર લગાવવાથી તેની શુષ્કતા ઘટે છે. કપૂરનું ચૂરણને બરગદના દૂધમાં મિક્સ કરીને પીસીને આંખમાં કાજલની જેમ લગાવી લેવાથી આંખના અનેક રોગમાં રાહત આપે છે.
સ્કીનની ખંજવાળ અને બળતરા
કપૂરમાં એસેન્શિયલ ઓઈલ મળે છે જે સ્કીનની ખંજવાળ અને બળતરાને માટે ફાયદો આપે છે. આ એસેન્શિયલ ઓઈલને સ્કીન શોષી લે છે અને સ્કીનને ઠંડક આપે છે. સ્કીનની ખંજવાળ અને બળતરાને દૂર કરવામાં નારિયેળ તેલના એક કપમાં એક ચમચી પીસેલું કપૂર મિક્સ કરો. તેના મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ફાયદો થશે.
વાળને માટે રહે છે ફાયદારૂપ
અનેક શોધમાં સાબિત થયું છે કે કપૂર વાળને ફાયદો આપે છે. વાળનું ખરવું, વાળને મજબૂત બનાવવા અને ખોડોની સમસ્યામાં પણ કપૂરનો ઉપયોગ કરાય છે. આ ઘરેલૂ ઉપાય માટે નારિયેળ તેલની સાથે કપૂરને મિક્સ કરો. આ મિશ્રણથી માથાની મસાજ કરવાથી તમને ખોડોથી રાહત મળશે અને વાળ મજબૂત થશે.
સાંધાનો દુઃખાવો
જે લોકો પોતાના સાંધાના દુઃખાવાથી પરેશાન રહે છે તેઓએ ઘરેલૂ ઉપચારમાં કપૂરનો ઉપયોગ કરી લેવો. કપૂરના તેલમાં ગરમાવો લાવનારા તત્વો હોય છે. જે નસની સંવેદનશીલતાને ઘટાડે છે. તમે તેનાથી માલિશ કરો છો તો તમને રાહત મળે છે. સાંધાના દર્દથી રાહત મેળવવા માટે તલનું તેલ ગરમ કરો અને તેમાં કપૂર મિક્સ કરીને આ મિશ્રણથી જ્યાં દુઃખાવો રહે છે તેની પર માલિશ કરો. તમને રાહત મળશે.
ખીલથી આપશે રાહત
કપૂરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળે છે. જે સ્કીન પર ખીલની સમસ્યાથી રાહત આપી શકે છે. કેટલાક રિસર્ચ અનુસાર જે લોકોની સ્કીન ઓઈલી હોય છે તેમને માટે કપૂર ફાયદો કરે છે. આ ઘરેલૂ ઉપાય માટે એક કપ નારિયેળ તેલમાં કપૂરની 2 નાની ગોટી મિક્સ કરો અને તેને થોડા થોડા પ્રમાણમાં લઈને ખીલ વાળી જગ્યાએ લગાવશો તો ફાયદો થશે.
ફાટેલી એડીઓમાં આપે છે રાહત
અનેક વાર તમારી એડીમાં તમે લાઈનો જુઓ છો. જેને આપણે ફાટેલી એડી કહીએ છીએ. આ માટે પણ તમે ઘરેલૂ ઉપાયમાં કપૂરનો ઉપયોગ કરી શકો છો. એક પાણી ભરેલી ડોલ લો અને તેમાં 10-12 કપૂરની ગોળીઓ નાંખો. હવે તે પાણીમાં 10-15 મિનિટ સુધી તમારા પગ રાખો. આ ઘરેલૂ ઉપાયથી તમારી એડીઓ મુલાયમ બનશે અને ક્રેક ભરાઈ જશે.