સામાન્ય રીતે દરેક ઘરમાં મોટે ભાગે રોટલીઓ બનતી હોય છે. ક્યારેક રોટલી વધી પડે તો તેને ગાય-કૂતરાને ખવડાવવી દઇએ છીએ. ઓછા લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા હોય છે. રોટલીના બદલે જો ભાખરી હોય તો લોકો બીજા દિવસે ચા-દૂધ સાથે નાસ્તમાં ખાય છે
પરંતુ શું તમે જાણો છે કે, વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. રોટલી અને દૂધ ખાવાથી ઘણી બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.
- બ્લડ પ્રેશરની બિમારીથી પીડાતા લોકો માટે વાસી રોટલી રામબાણ ઇલાજ છે. જો હાઇ બાપી રહેતુ હોય તો સવારે હૂંફાળા દૂધ સાથે રોટલી ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. રોજ સવારે આ રીતે વાસી રોટલી અને દૂધ ખાવાથી થોડા દિવસમાં જ ફરક દેખાશે.
- પેટ સંબંધિત દરેક પ્રકારની બિમારી દૂર કરવામાં વાસી રોટલી કારગત છે. ઘંઉના લોટમાંથી બનેલી રોટલીમાં પૂરતી માત્રામાં ફાયબર હોય છે, જે પાચન સારુ કરે છે. જો તમને કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા કે પેટને લગતી કોઇ પણ સમસ્યા હોય તો નિયમિત રૂપે સવાર ગરમ દૂધમાં વાસી રોટલી પલાળીને ખાવાથી પેટનો વિકાર દૂર કરે છે.
તમે ખૂબ પાતળા હો અથવા શરીરમાં નબળાઈ હોય તો રોજ સવારે વાસી રોટલી અને દૂધ ખાવા જોઇએ. વાસ્તવમાં વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને શરીરને તાકાત તેમજ ઉર્જા પૂરી પાડે છે. જેના કારણે આખા દિવસ શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે છે.