લેબનનની રાજધાની બેરૂતમાં ગત મોડી રાતે ભયાનક વિસ્ફોટ થયો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં તેના વિસ્ફોટક દ્રશ્યો હચમચાવી દેનારા છે. મંગળવારે મોડી સાંજે પોટ પાસે ઉભા રહેલા એક જહાજમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. મનાઈ રહ્યું છે કે જહાજ ફટાકડાથી ભરેલું હતુ. જેથી એવું લાગ્યું કે આ સમજી વિચારીને કરવામાં આવેલો વિસ્ફોટ છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 10 કિમી સુધી તેની અસર વર્તાઈ હતી. આ ઘરામાં આવતા ઘરોને પણ નુકશાન થયું હતુ.
લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ
રસ્તા પર લાશો વિખેરાયેલી પડી, ઈમારતો ધરાશાયી થઈ
કાર 3 માળ સુધી હવામાં ફંગોળાઈ
પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે આ ધડાકાથી કાર 3 માળ સુધી હવામાં ફંગોળાઈ હતી. તેમજ તેની આસ પાસની બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. લેબનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ ધડાકામાં ઓછામાં ઓછા 73 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 4 હજાર લોકો ઘાયલ થયા હતા.
લેબનના પીએમ હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે ગોડાઉનમાં ભારે વિસ્ફોટક સામગ્રી સ્ટોર કરાઈ હતી. જ્યાં આ ધડાકો થયો હતો. રાષ્ટ્રપતિ માઈકલ ઈયોને ટ્વીટ કરી કહ્યુ હતું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી કે 2750 ટન વિસ્ફોટક નાઈટ્રેટ અસુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે. ધડાકો કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે. ઘટના સ્થળના હચમચાવી દેનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં સસ્તાઓ પર લોકોની ડેડ બોડી વિખેરાયેલી પડી છે. રીએમ હસન દિઆબે આને ભયાવહ ગણાવી છે. આરોપી જણાયા તો કોઈને છોડવામાં નહીં આવે.
15 મિનિટમાં બેરૂટમાં બે ધડાકા થયા છે. એક બ્લાસ્ટ બંદર પર અને બીજું બેરૂત શહેરમાં. બીજો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો વિસ્ફોટ આખા શહેરમાં સંભળાયો. રોયટર્સે લેબનીઝ રાજ્યની સમાચાર એજન્સી NNAએ ટાંકીને જણાવ્યું છે કે બ્લાસ્ટ પોર્ટ વિસ્તારમાં થયો હતો, જ્યાં વિસ્ફોટકો વેરહાઉસમાં સંગ્રહિત હતા. જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિસ્ફોટ કયા કારણોસર થયું હતું અથવા ગોડાઉનમાં કયા પ્રકારના વિસ્ફોટકો હતા.
લૅબનોનની રાજધાની બેરુતમાં 15 મિનિટમાં રહસ્યમયી 2 ભીષણ વિસ્ફોટ થયા હતાં. એક બ્લાસ્ટ પોર્ટ પર અને બીજો શહેરમાં થયો હતો. બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો.#Beirut#beirutexplosion
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 4, 2020
બ્લાસ્ટને કારણે મશરૂમ્સ જેવા વાદળો રચાયા
વીડિયોમાં તે સ્પષ્ટ જોઇ શકાય છે કે બ્લાસ્ટને કારણે મશરૂમ્સ જેવા વાદળો રચાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે પાટનગર વિસ્તારમાં હાજરથી દૂર આવેલા મકાનોના કાચ પણ તૂટી ગયા હતા. તે જ સમયે, સ્થળ નજીકની ઇમારતોને ગંભીર નુકસાન થયું છે.