BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને બરતરફ કરી દીધી છે, મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ પણ મંગાવાઈ
BCCIએ ભર્યું મોટું પગલું, રાષ્ટ્રીય પસંદગી સમિતિને બરખાસ્ત કરી
ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને બરતરફ
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલ કે BCCIએ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારને 18 નવેમ્બરના રોજ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ પણ મંગાવાઈ છે.
🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men).
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજીઓ મંગાવાઈ છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ પોતાની અરજીઓ કરી શકે છે જે પૂરતા માપદંડોને ધરવતા હોવા જોઈએ.
ટી20 વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ એક્શનમાં BCCI
ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને કાઢી મૂકાઇ
હરવિંદર સિંહ, સુનીલ જોશી અને દેવાશિષ મોહંતીને કાઢી મૂકાયા
સામાન્ય રીતે 4 વર્ષનો હોય છે સિલેક્શન કમિટીનો સમયગાળો
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ સિલેક્શન કમિટી પર ઉઠ્યા હતા સવાલ
ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થઇ હતી હાર
આ પદ માટે કોણ અરજી કરી શકશે
ભૂતપૂર્વ ક્રિકેટરો પસંદગીકારના પદ માટે અરજી કરી શકશે જેમાં ઓછામાં ઓછી 7 ટેસ્ટ અથવા 30 પ્રથમ શ્રેણીની મેચ અથવા 10 વનડે અને 20 પ્રથમ શ્રેણીની મેચ રમેલી હોવી જોઈએ તે લોકો પસંદગીકારોના પદ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ તેમજ 5 વર્ષ માટે કોઈપણ ક્રિકેટ સમિતિના સભ્ય રહેલો હોવો જોઈએ. જે પસંદગીકાર પદ માટે અરજીપાત્ર ગણાશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી છે.