ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પહેલાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) રાહુલ જોહરીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2016માં આ પદ સંભાળનાર તે પ્રથમ વ્યક્તિ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીએએ)ને હટાવ્યા પછી આ નિર્ણય લીધો છે. જોકે, અત્યાર સુધી આ અંગે ન તો અધિકારી કે ન તો ખુદ રાહુલ જોહરી તરફથી કોઈ નિવેદન આવ્યું છે.
રાહુલ જોહરીએ BCCIના ચીફ એક્ઝિક્યુટિના પદ પરથી રાજીનામું આપી દીધું
ઓફિશિયલી આ વાતની જાહેરાત હજી થઈ નથી
બોર્ડના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ પણ આ અંગે પુષ્ટિ કરી નથી
સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હીથી આવેલા રાહુલ જોહરીએ થોડા સમય પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેને સત્તાવાર રીતે સ્વીકાર્યું નહોતું. સૂત્રો મુજબ, 'તેમણે થોડાં સમય પહેલા રાજીનામું આપ્યું છે. અમને ખબર નથી કે ભવિષ્ય માટે તેમની યોજના શું છે. અમને ખબર નથી કે તેમણે કોને ઇમેલ અથવા પત્ર લખીને રાજીનામું આપ્યું છે.
હજી આ વાતની પુષ્ટિ થઈ નથી
જ્યારે રાહુલ જોહરીએ આ અંગે કંઈપણ કહેવાની ના પાડી દીધી. આ સંદર્ભે બોર્ડના અધ્યક્ષ સૌરભ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને રાજ કોષ અધ્યક્ષ અરૂણ ધૂમલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અંગે કોઈ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નથી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં બોર્ડના મુખ્ય નાણાકીય અધિકારી સંતોષ રંગનેકરે રાજીનામું આપી દીધું છે અને તેઓ નોટિસ પીરિયડ પર છે.
2016માં થઈ હતી નિમણૂક
ઉલ્લેખનીય છે કે, રાહુલ જોહરીની નિમણૂક વર્ષ 2016માં શશાંક મનોહરના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. તે સમયે અનુરાગ ઠાકુર સેક્રેટરી હતા. જોહરી અગાઉ ડિસ્કવરી નેટવર્ક એશિયા પેસિફિક માટે દક્ષિણ એશિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર તરીકે સેવા આપી ચૂક્યા છે.