નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન બથિંડા જિલ્લાના વિર્ક ગામની ખુર્દ પંચાયતે આંદોલનમાં જવાનું ફરમાન જાહેર કર્યુ છે.
સદ્ભાવના દિવસ મનાવી રહ્યા છે ખેડૂતો
લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર અને તેને પરિવાર ગાયબ છે
પંજાબ પોલીસે જુગરાજના પરિવારની લાંબી પુછપરછ કરી હતી
ખેડૂત આંદોલન દરમિયાન બથિંડા જિલ્લાના વિર્ક ગામની ખુર્દ પંચાયતે ફરમાન સંભળાવ્યું છે કે ખેડૂતોના સમર્થનમાં ન જનારા પરિવારને દંડ ફટકારવામાં આવશે. સાથે સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે.
લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર અને તેને પરિવાર ગાયબ છે
એક તરફ ટ્રેકટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવનારની તપાસ ચાલુ છે. આરોપી જુગરાજની શોધમાં દિલ્હી પોલીસની એક ટીમ શુક્રવારે જલંધરમાં રેડ પાડી છે. લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર અને તેને પરિવાર ગાયબ છે.
પંજાબ પોલીસે જુગરાજના પરિવારની લાંબી પુછપરછ કરી હતી
દિલ્હી પોલીસે તેની સામે હિંસા અને દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જો કે પંજાબમાં તરન તારન પોલીસે 26 જાન્યુઆરીની રાતે 10 વાગે લગભગ જુગરાજ સિંહને કથિત રીતે ખાલિસ્તાની સંગઠન સાથે સંબંધને લઈને પરિવારની લાંબી પુછપરછ કરી હતી.
સદ્ભાવના દિવસ મનાવી રહ્યા છે ખેડૂતો
ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીના રોજની હિંસાની ઘટનાના પગલે આજે એટલે કે 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિને ખેડૂતો‘સદ્ભાવના દિવસ’ના રુપે મનાવી રહ્યા છે. જેને પગલે તમામ નેતા સવારના 9 વાગ્યથી 5 વાગ્યા સુધી ઉપવાસ કરી રહ્યા છે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓ તમામ દેશવાસીઓને 30 જાન્યુઆરી થઈ રહેલી ભૂખ હડતાલનો ભાગ બનવા અપીલ કરી છે.