આજે રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો ખાસ સંયોગ બની રહ્યો છે. આખો દિવસ રવિ યોગ રહેવાના કારણે વસંત પંચમીનું મહત્વ વધી ગયું છે. સવારે 06.59 મિનિટથી બપોરે 12.35 મિનિટ સુધી પૂજાનું શુભ મૂહૂર્ત રહેશે.
વસંત પંચમીનું મહત્વ
શિક્ષા પ્રારંભ કરીને નવી કળાની શરૂઆત કરવા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે. આ દિવસે અનેક લોકો ગૃહપ્રવેશ પણ કરે છે. માન્યતા છે કે આ દિવસે કામદેવ પત્ની રતિ સાથે પૃથ્વી પર આવે છે. આ માટે જે પતિ પત્ની આ દિવસે કામદેવ અને દેવી રતિની પૂજા કરે છે તેમને વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવતી નથી અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ખાસ વિધાન છે.
उत्तर प्रदेश: वाराणसी में आज बसंत पंचमी मौके पर श्रद्धालुओं ने गंगा में पवित्र डुबकी लगाई।
एक पंडित ने बताया, "आज माता सरस्वती की आराधना की जाती है। आज से बसंत पर्व का शुभारंभ होता है। आज से ही वैवाहिक कृत्य भी प्रारंभ होते हैं। आज के दिन गंगा स्नान का भी बहुत पुण्य मिलता है।" pic.twitter.com/88hNvnxBmh
આ દિવસે પીળા, વસંતી અને સફેદ કપડા પહેરો,. આ પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને પૂજાની શરૂઆત કરો. સરસ્વતીને પીળા વસ્ત્રો ાથરીને સ્થાપિત કરો. આ પછી રૌલી, મૌલી, કેસર, હળદર, ચોખા, પીળા ફૂલ, પીળી મિઠાઈ, મિસર દહીં, હલવો વગેરે ભોગમાં ચઢાવો. માતા સરસ્વતીને શ્વેત ચંદન અને પીળા થા સફેદ પુષ્પ જમણા હાથે ચઢાવો. કેસ વાળી ખીર પણ ભોગમાં શ્રેષ્ઠ રહે છે. હળદરની માળા સરસ્વતીને મૂળ મંત્ર ઓમ એં સરસ્વતયૈ નમઃ સાથે ચઢાવો.