બીએપીએસના વડા મહંત સ્વામીના હસ્તે ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં બીએપીએસના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે સમયે મહંત સ્વામીએ પણ ઘેલો નદીમાં સ્નાન કરતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને વિશ્વમાંથી કોરોના વાયરસ દુર થાય તે માટે પ્રાર્થના કરી હતી.
પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન
ધાર્મિક વિધિ વિધાન સાથે વિસર્જન
સંતોના સાનિધ્યમાં કરાઈ સંપૂર્ણ વિધિ
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ બીએપીએસ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખેલ છે. જે બાબતે બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓ 13 ઓગષ્ટ 16માં અક્ષરધામ ગયા હતા જેના આજે ચાર વર્ષ થયા છે. ત્યારે ગઢડામાં આવેલ ઘેલો નદીમાં ભગવાન સ્વામિનારાયણ પોતે આ ઘેલો નદીમાં સ્નાન કરતા હતા.
જેથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉનમત ગંગાનુ બિરુદ આપેલ જેને લઈને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ મહંત સ્વામીએ પણ ઘેલો નદીમાં સ્નાન કર્યુ હતું. વિશ્વમાંથી કોરોના વાયરસ દુર થાય તેમાટે પ્રાર્થના કરી હતી.
જ્યારે ઘેલો નદી પર મોટી સંખ્યામાં હરિભક્તોનો મેળાવડો જામ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનના દર્શન તેમજ મહંત સ્વામીએ કરેલ ઘેલો નદીમાં સ્નાનના દર્શનથી ભક્તોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.