વડોદરા: પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં રોગચાળો ફેલાયો છે ત્યાં સુધી પાણી પુરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનુ છે કે શહેરમાં રોગચાળો ફેલાતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી બનાવતા લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને પાણીપુરીનું ગંદુ પાણી અને સડેલા બટાકા મળી આવ્યા હતા. આરોગ્યની ટીમે પાણીપુરીનું પાણી અને બટાકાના જથ્થાનો નાશ કર્યો હતો.
Vtvનું પાણીપુર પર રિયાલીટી ચેક
પાણીપુરી એટલે સ્વાદના શોખીનો માટેનું ઉત્તમ ખાણું... સ્વાદના શોખીનો હોંશે હોંશે પાણીપુરી આરોગતા હોય છે પરંતુ તમે ક્યારેય આ પાણીપુરીની ગુણવત્તા ચેક કરી છે ? કદાજ આપનો જવાબ ના જ હશે. પરંતુ રાજ્યના સુરત વડોદરા અને અમદાવાદમાં વીટીવીની ટીમે પાણીપુરીનો રીયાલીટી ચેક કર્યો હતો. જેમાં સામે આવ્યું કે પાણીપુરી એકદમ ગંદી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે. સાથે તેમાં વપરાતો સામાન આરોગ્યને હાની પહોંચાડે તેવો હોય છે.
સુરતઃ સડેલા બટેટામાંથી બને છે સ્વાદિષ્ટ પાણીપુરી
સુરતમાં અમે પાણીપુરી બનાવતા લોકોના ઘરે જઈને ચેક કર્યું તો સામે આવ્યું કે બટેકા સડેલા જોવા મળ્યા. તો જ્યારે અમે વડોદરામાં જઈ રીયાલીટી ચેક કર્યો તો પાણીપુરી બનાવવાનું સ્થળ આરોગ્ય માટે હાનીકારક હતું.
અમદાવાદઃ ગટરની બાજુમાં પાણીપુરી તળાય રહી છે
તો અમે જ્યારે અમદાવાદમાં પહોંચ્યા તો જે દ્રશ્ય સામે આવ્યું તે ચોંકાવનારુ હતું. એક વ્યક્તિ બટેકાની છાલ ઉતારી રહ્યો છે. જ્યારે તે બટેટા ઉપર અનેક માંખીઓ ફરી રહી છે. તો આ વ્યક્તિ હાથમાં કોઈ પણ પ્રકારના મોંજા પહેર્યા નથી. તો બટેટા ખાઈ શકાય તેવા ન હતા. પાણીપુરી તળવા માટેનું તેલ અને તે જગ્યા ગટરની બિલકુલ બાજુમાં હતી. જે આરોગ્ય માટે જોખમકારક છે. તો પાણીપુરીની લારીઓ પર અનેક માંખીઓ ફરી રહી હતી.
પરંતુ આપને ખબર છે કે આ પાણીપુરી કઈ રીતે બને છે ? આ દ્રશ્યો જુઓ કેવા ગંદા સ્થળે પાણીપુરી બનાવવામાં આવે છે. ગટરની બાજુમાં સ્વાદના શોખિનો માટે પાણીપુરી તૈયાર થઈ રહી છે. તો પાણીપુરી માટે મહત્વના આ બટેટાને જુઓ એકદમ સડેલા આ બટેટાનો ઉપયોગ સ્વાદિષ્ટ પાણીપુરી માટે થાય છે. તો જે જગ્યાએ પાણીપુરીને સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાનને જુઓ એકદમ ગંદા સ્થળ પાણીપુરીનો સંગ્રહ કરવામાં આવે છે.
તંત્ર હજી ઉંઘમાં...
બીજી તરફ સવાલ થાય છે કે પાણીપુરીમાં આરોગ્યના માપદંડ કેમ ધ્યાને નથી લેવામાં આવતા ? કેમ તંત્ર આવા આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કાર્યવાહી કરતું નથી. આવા તો અનેક સવાલ જે તંત્ર સામે થઈ રહ્યા છે.