બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bank timing change extra time good news for customers more time to complete work

GOOD NEWS / બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: બેંક ખુલવાનો સમય બદલાયો, કામ પુરુ કરવા માટે મળશે એકસ્ટ્રા ટાઈમ

Pravin

Last Updated: 06:33 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે.

  • બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર
  • બેંકના કામકાજ સમયમાં થયો મોટો ફેરફાર
  • ગ્રાહકોને મળશે વધુ એક કલાકનો સમય

બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ 18 એપ્રિલ 2022 એટલે કે સોમવારથી બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે. હવે બેંક સવારે 9 વાગ્યે ખુલી જશે. જો કે, બેંક બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થયો નથી.

હકીકતમાં જોઈએ તો, કોરોના વાયરસ મહામારીના કારણે બેંકો દિવસમાં ખોલવાનો સમય ઘટાડી દીધો હતો. જેને હવે ફરીથી સામાન્ય કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા 18 એપ્રિલથી લાગૂ થઈ જશે.

આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલા બજારોના ટ્રેડિંગ સમય પણ બદલાયા છે

આરબીઆઈએ આ અગાઉ તેના દ્વારા સંચાલિત કેટલાય બજાર ટ્રેડિંગ ટાઈમિંગમાં ફેરફાર કોવિડ 19થી પહેલાના સમયને લાગૂ કરી દીધા છે. નવા ટ્રેડિંગ ટાઈમ પણ સોમવારથી લાગૂ થઈ જશે. આરબીઆઈની દેખરેખમાં કોલ મની, ગવર્મેંટ પેપર્સ, ગવર્મેંટ સિક્યોરિટીઝ, રેપો ઈન કોર્પોરેટ બોન્ડ્સ તથા રૂપી ઈંટરસ્ટ રેડ ડેરિવેટિવ સામેલ છે. ઉપરોક્ત ઉલ્લેખિત તમમ બજારો સહિત આરબીઆઈ દ્વારા વિનિયમિત બજાર હવે સવારે 10 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યે ખુલી જશે. 

કાર્ડલેસ એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા ટૂંક સમયમાં

આરબીઆઈએ તમામ બેંકોને ટૂંક સમયમાં કાર્ડલેસ એટીએમ ટ્રાન્ઝેક્શન સુવિધા શરૂ કરવાની સૂચના પણ આપી છે. ગ્રાહકોને ટૂંક સમયમાં UPI દ્વારા બેંકો અને તેમના ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. RBI કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવી રહી છે. આ કરવા માટે, યુપીઆઈ દ્વારા તમામ બેંકો અને તેમના એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.

છેતરપિંડી રોકવાની આશા

નિષ્ણાતોનું કહેવું છે કે, કાર્ડલેસ કેશ ટ્રાન્ઝેક્શનમાં એટીએમ પિનની જગ્યાએ મોબાઈલ પિનનો ઉપયોગ કરવામાં આવશે, જે એટીએમ દ્વારા છેતરપિંડી રોકવામાં મદદ કરશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન વ્યવહારોને સરળ બનાવશે અને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન કાર્ડ ક્લોનિંગ, કાર્ડની ચોરી અને અન્ય ઘણા પ્રકારની છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે. નોંધનીય છે કે SBI અને ICICI સહિત ઘણી બેંકો પહેલાથી જ કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ