બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bandipora encounter breaks out in brar aragam terrorist killed few trapped

જમ્મુ કાશ્મીર / ભારતીય સેનાએ લીધો બદલો: 2 દિવસનો વાયદો- 24 કલાકમાં કામ તમામ, રાહુલની હત્યા કરનારા આતંકીઓ ઠાર

Pravin

Last Updated: 07:04 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષાદળોએ તેની પત્ની મીનાક્ષીને વચન આપ્યું હતું કે, બે દિવસની અંદર આતંકીઓને ઠાર કરીશું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પુરુ કરી દીધું હતું.

  • કશ્મીરી પંડિત રાહુલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
  • ભારતીય સેનાએ વચન નિભાવ્યું
  • 24 કલાકમાં જ હત્યારા આતંકીઓને પતાવી દીધા

 

કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષાદળોએ તેની પત્ની મીનાક્ષીને વચન આપ્યું હતું કે, બે દિવસની અંદર આતંકીઓને ઠાર કરીશું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પુરુ કરી દીધું હતું. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, તેમણે બાંદીપોરામાં શુક્રવારે સાંજે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. તેમાંથી બે આતંકી રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. તેમાં ત્રીજો આતંકી ગુલઝાર અહમદ છે. જેની ઓળખાણ 11મેના રોજ કરવામાં આવી હતી. આપને ઝણાવી દઈએ કે, બડગામ જિલ્લાના ચડૂરા તાલુકામાં રેવન્યૂ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા રાહુલ ભટ્ટની આતંકીઓએ ગુરૂવારે ઓફિસમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી હતી. 

પાકિસ્તાનથી આવ્યા હતા બે આતંકી

કશ્મીરના આઈજીએ જણાવ્યું હતુ કે, હાલમાં ઘૂસણખોરી કરીને બે પાકિસ્તાની આતંકી ભારતમાં આવ્યા હતા. બાંદીપોરામાં સુરક્ષાદળોએ તેમની સાથે એન્કાઉંટર પતાવી દીધા હતા. 11મે ના રોજ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન દ્વારા આ બંને ભાગીને સાલિંદર જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હતા. 

આતંકીઓને ભારે કિંમત ચુકવવી પડશે

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વિટર પર લખ્યું છે કે, રાહુલ ભટ્ટના પરિવાર સાથે મુલાકાત કરી છે. મેં તેમના પરિવારને ન્યાય અપાવાનું આશ્વાસન આપ્યું છે. સરકાર ખુલ રાહુલના પરિવાર સાથે છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ભારે કિંમત ચુકાવવી પડશે.

કશ્મીરી પંડિતોએ કર્યો ભારે વિરોધ, આપ્યા સામૂહિક રાજીનામા

રાહુલ ભટ્ટની હત્યાને લઈને કશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 350 સરકારી કર્મચારીઓએ શુક્રવારે હત્યાના વિરોધમાં રાજીનામા આપ્યા છે. તમામે પોતાના રાજીનામા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મોકલી આપ્યા છે. આ તમામ કશ્મીરી પંડિત પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. તેમનું કહેવું છે કે, આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ ઘાટીમાં પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. થોડી લાલ ચોક પર આંદોલન પણ કરવાના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ