આ સિવાય દિલ્હીમાં ઠેર ઠેર પાણીનાં ટેન્કર દ્વારા છંટકાવ કરવામાં આવી રહ્યો છે
ગેસ સિવાય અન્ય તમામ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
A Special Task Force of Traffic Police will be constituted to monitor the traffic congestion so that traffic flow can be made smooth and pollution due to congestion of vehicles be stopped: Delhi Environment Minister Gopal Rai pic.twitter.com/NHOyefwBXA
We have also given instructions for a ban on the entry of all vehicles in Delhi, except those involved in essential services. Police dept & transport will ensure this together: Delhi Environment Minister Gopal Rai pic.twitter.com/0lEXARcvlk
પ્રદૂષણ પર મહાભારત
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ હોય તેમ લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે અને દિવસેને દિવસે લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે ત્યારે પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે અને તેનું સમાધાન શું છે તે મુદ્દે એકબીજા પર આરોપો લાગી રહ્યા છે, કોઈ ખેડૂતોને પરાળ સળગાવવાનાં લીધે દોષ આપી રહ્યા છે તો કોઈ દિવાળીનાં ફટાકડાને,એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઝાટકણી કાઢતા તાત્કાલિક ઈમરજન્સી પગલાં લેવાના અને રિપોર્ટ આપવાના આદેશ આપ્યા હતા જે મુદ્દે આજે ફરી સુનાવણી કરવામાં આવી હતી.
ઈમરજન્સી બેઠક કરાઇ
નોંધનીય છે જે વાયુ પ્રદૂષણ મુદ્દે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારનાં અધિકારી વચ્ચે આપાતકાલ બેઠક કરવામાં આવી હતી જેમા શું નિર્ણય લેવા તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોની સમસ્યા કોઈ સમજતું નથી: CJI
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદની વચ્ચે કોર્ટમાં દેશનાં મુખ્ય ન્યાયાધીશ રમણાએ કહ્યું કે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણીઓ કરવી ખૂબ સરળ છે પરંતુ તેમની સમસ્યા કોઈ સમજવા તૈયાર નથી કે તેમને પરાળ કેમ બાળી નાંખવી પડે છે. રમણાએ કહ્યું કે મારી પાસે રિપોર્ટ આવ્યો છે જેમા છે કે ફટાકડાનો પ્રદૂષણમાં કોઈ યોગદાન નથી, તો શું આ રિપોર્ટને માની લઇએ? અત્યારે એ જોવાનો ટાઈમ નથી કે પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે? અત્યારે સોલ્યુશન કાઢવાનો સમય છે. કેન્દ્ર સરકારે આજે સર્વોચ્ચ અદાલતમાં સોગંધનામુ આપ્યું હતું જેમા કહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ કરવાના આદેશ આપી શકાય તેમ નથી, તેની જગ્યાએ કાર પૂલનો સુઝાવ આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓના વાહનોની અવરજવર બંધ કરવાથી પ્રદૂષણમાં પણ કોઈ મોટી રાહત નહીં મળે.