ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વિવાદ વધી રહ્યો છે. ચીનને દરેક સ્તર પર જવાબ આપવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. એક તરફ દેશનાં શૂરવીર સૈનિકો સીમાની સુરક્ષા કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દેશની અંદર ચીન વિરુદ્ધ નિર્ણયો લઇ રહી છે. નાગરિકોએ ચીની સામનનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે.
ચીની એપ પર પ્રતિબંધ એક મોટો અવસર છે : પ્રસાદ
શું આપણે ભારતીય એપ નથી લાવી શકતા : કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારત સરકારે 59 ચીની એપ પર જે પ્રતિબંધ લગાવ્યો છે તેને એક અવસરના રૂપમાં જોવું જોઈએ. બુધવારે તેમણે કહ્યું કે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. મને લાગે છે કે આ એક મોટો અવસર છે. શું આપણે એવી એપ નથી લાવી શકતા જે ભારતીયોએ બનાવી હોય. હવે આપણે વિદશી એપનો સહારો છોડી દેવો જોઈએ. એવા કેટલાય કારણો છે જેથી આપણે સ્વદેશી એપ બનાવવી પડશે અને વિદેશી એપ પરની નિર્ભરતા ઘટાડવી પડશે.
કેટલાક સ્ત્રોત તરફથી આ એપ વિરુદ્ધ ફરિયાદો મળી હતી
ભારત સરકારે 29મી જૂને જ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, શેરચેટ અને કેમ સ્કેનર જેવી એપ પણ સામેલ છે. સૂચના મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કેટલાક સ્ત્રોત તરફથી આ એપ વિરુદ્ધ ફરિયાદો મળી હતી. આ એપ એન્ડ્રોઈડ અને iosમાં પ્રાઈવેટ ડેટામાં ઘુષણખોરી કરી રહ્યા હતા.
આ એપ પર બેનના કરને ભારતના મોબાઈલ અને ઇન્ટરનેટ યુઝર્સ સુરક્ષિત થઇ જશે. ભારતની સુરક્ષા, અખંડતા અને સંપ્રભુતા માટે આ ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા જે પ્રેસ રીલીઝ આપવામાં આવી છે તેમાં ચીનનો ઉલ્લેખ નથી પરંતુ જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે બધીનો સંબંધ ચીન સાથે છે.
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયનો ચીને ખુલીને વિરોધ કર્યો છે. ભારતમાં ચીની એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન આ બધા પર નજર રાખી રહ્યું છે અને કાર્યવાહીનો વિરોધ દર્શાવે છે. પ્રવક્તાએ કહ્યું એપ બેન કરવા માટે ભારતે જે રીત અપનાવી છે ભેદભાવપૂર્ણ છે.