ઓલ ઈંડિયા બૈકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ એમ્પલોઈઝ ફેડરેશને આજે એટલે કે, 25મેના રોજ ભારત બંધનું એલાન કર્યું છે.
બામસેફ દ્વારા આજે ભારત બંધનું એલાન
કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો
આટલી માગ સાથે કરી રહ્યા વિરોધ પ્રદર્શન
ઓલ ઈંડિયા બૈકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ એમ્પલોઈઝ ફેડરેશને આજે એટલે કે, 25મેના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકાર તરફથી અન્ય પછાત વર્ગની જાતિઓની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ના પાડવા પર ભારત બંધનું એલાન કર્યું છે. બામસેફે બહુજન મુક્તિ પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. તો વળી લેફ્ટ પાર્ટીઓએ મોંઘવારીના વિરોધમાં દેશભરમાં પ્રોટેસ્ટનું આહ્વાન કર્યું છે.
ભારત બંધનું એલાન
ભારત બંધને લઈને સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. તેને સફળ બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સંગઠન તરફથી જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા, ખેડૂતોને MSPની ગેરેન્ટી આપવા, લોકોને રસી લગાવવા માટે મજબૂર ન કરવા, NRC/CAA/NPR ની કવાયત રોકવા જેવી માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર રોક લગાવાની પણ માગ કરી રહ્યા છે.
કહેવાય છે કે, ભારત બંધની અસર દિલ્હીના જોઈએ તેવી જોવા મળી નથી,. પણ યુપી અને બિહાર જેવા રાજ્યોમાં મોટા પાયે અસર થઈ શકે છે. બિહારમાં તેની અસરના કારણે આ મુદ્દા ખૂબ છવાયેલા છે. વિપક્ષના નેતા તેજસ્વી જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ લાંબા સમયથી કરી રહ્યા છે.
રાજકીય પાર્ટીઓએ પણ ભાજપનો ઘેરાવ કર્યો
આ બાજૂ ભારત બંધને લઈને રાજકીય પાર્ટીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, ભાજપ સરકાર દલિતો, પછાતને કરેલા વચનોમાં ફગી ગઈ છે. ભાજપે સંસદ અને ચૂંટણી ઢંઢેરામાં પછાત જાતિની વસ્તી ગણતરી કરવાની વાત કહી હતી. સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, બામસેફ જો આ માગને લઈને તથા અન્ય સંવૈધાનિક માગને લઈને ભારત બંધનું આહ્વાન કરી રહી છે, તો તેમા ખોટુ શું છે. તો વળી સમાજવાદી પાર્ટીના નેતા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી કમાલ કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો, તેમાં શું વાંધો છે.
કેવી માગ કરી રહ્યા છે
જાતિ આધારિત વસ્તી ગણતરી થાય
ખેડૂતોને મળે MSPની ગેરેન્ટી
એનઆરસી/એનપીઆર/સીએએની કવાયત રોકવામાં આવે
ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ બંધ થાય
લોકોને રસી લગાવવા માટે મજબૂર ન કરવામાં આવે
પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં ન આવે
ઓડિશા અને મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતમાં અલગ મતદાર મંડળની માંગ