બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Ayurvedic kits for children were launched

ખાસ વાંચો / ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે મોદી સરકારનો મોટો પ્લાન, તૈયાર કરાઇ રહી છે આ ખાસ વસ્તુ

Ronak

Last Updated: 07:29 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે કોરોનાની ત્રીજી લહેરથી બચવા બાળકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેમા આયુષ મંત્રાલય દ્વારા એક રક્ષા કિટ બનાવામાં આવી છે જેનાથી બાળકોની ઈમ્યુનિટી સારી રહેશે.

  • બાળકો માટે આયુર્વેદિક કિટ લોન્ચ કરવામાં આવી 
  • ઈમ્યૂનિટી વધારવા બાળ રક્ષા કિટ લોન્ચ કરવામાં આવી 
  • 2 નવેમ્બરે 10 હજાર કિટની વહેચણી કરવામાં આવશે 

કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સરકારે હવે બાળકો માટે વેક્સીનેશન ટ્રાયલને લઈને તેમના માટે આયુર્વેદિક કિટ પણ લોંચ કરી છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદે 15 વર્ષ સુધીના બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે બાલ રક્ષા કિટ લોંચ કરી છે. આ સંસ્થા આયુષ મંત્રાલય હેઠળ કામ કરે છે. 

બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે 

બાલ રક્ષા કિટમાં તુલસી, ગિલોય, તજ, સીરપ અને ચમનપ્રાશનો સમાવેશ છે. આ બધી વસ્તુઓ બાળકો માટે ઈમ્યુનીટી બૂસ્ટર સમાન છે. બાળકો આ કિટનું સેવન કરશે તો તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળી રહેશે. 

આયુષ મંત્રાલય દ્વારા કિટ તૈયાર કરવામાં આવી 

આપને જણાવી દઈએ કે આ કિટને આયુષ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ આયુષ મંત્રાલય હેઠળજ કામ કરે છે. જે કિટ બાળકો માટે બનાવામાં આવી છે. તેનું ઉત્તરાખંડના સરકારી ઉપક્રમ ઈન્ડિન મેડિસીન ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રોડકશન કરવામાં આવ્યું છે. 

5 હજાર બાળકોને સુવર્ણપ્રાશન આપવામાં આવશે 

2 નવેમ્બરે આયુર્વેદ દિવસ આવી રહ્યો છે. ત્યારે ઈન્સ્ટિટ્યુટ દ્વારા 10 હજાર કીટ મફતમાં આપવામાં આવશે. સંસ્થાના નિર્દેશક ડૉ તનજા નેસારીએ કહ્યું કે બાળકો માટે હાલ કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી જેથી તેમના સ્વાથ્યને ધ્યાનમાં રાખીને આ કીટ બનાવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે કિટની સાથેલ સુવર્ણપ્રાશન પણ 5 હજાર બાળકોને મફત આપવામાં આવશે.

રક્ષા કિટ પહેલા દિલ્હીની સ્કૂલોમાં આપવામાં આવશે 

ઉલ્લેખનીય છે કે આ રક્ષા કીટને પહેલા દિલ્હીની સ્કૂલોમાં આપવામાં આવશે . સુવર્ણપ્રાશન પણ બાળકોના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ છે. જોકે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા અગાઉ પણ સ્વાસ્થ્ય રક્ષા કિટ, આરોગ્ય રક્ષા કિટ, આયુ રક્ષા કિટ તૈયાર કરવામાં આવી હતી. જે ઘણી લોકપ્રીય બની હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ