અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન મોદી પોતે ત્યાં પહોંચીને મંદિરનું શિલાન્યાસ કરવાના છે ત્યારે પીએમ મોદી જે ઈંટથી મંદિરના પાયામાં સ્થાપિત કરશે તેની પહેલી તસવીર સામે આવી છે.
ફૈઝાબાદના સાંસદ લલ્લૂ સિંહે તસવીરને ટ્વિટ કરી
પીએમ મોદી આ જ ઈંટ સ્થાપિત કરશે
અયોધ્યામાં ભૂમિપૂજન માટે તડામાર તૈયારીઓ
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં રામમંદિરના પાયામાં જે ચાંદીની ઈંટ મૂકવામાં આવશે તેની પહેલી તસવીર સામે આવી છે. ફૈઝાબાદના સાંસદ લલ્લૂ સિંહે તસવીરને ટ્વિટ કરી છે.
यह मेरा सौभाग्य रहेगा कि इस पवित्र ईंट को मा• प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा स्थापित किये जाने के समय मुझे प्रांगण में उपस्थित होने का सौभाग्य प्राप्त होगा।
લલ્લૂ સિંહે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે પવિત્ર ઈંટ જ્યારે વડાપ્રધાન મોદી સ્થાપિત કરશે ત્યારે હું ત્યાં જ ઉપસ્થિત રહીશ. નોંધનીય છે કે આ ચાંદીની પવિત્ર ઈંટનું વજન 22 કિલો 600 ગ્રામ છે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે અને પીએમ મોદી 5 ઓગસ્ટના રોજ આ ઈંટથી જ મંદિર નિર્માણનું શિલાન્યાસ કરશે.
બીજી તરફ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે ટાઈમ કેપ્સ્યુલની વાત તદ્દન અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે પાયામાં કોઈ ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ પહેલા ટ્રસ્ટના એક સદસ્યએ દાવો કર્યો હતો કે રામમંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે જેથી ભવિષ્યમાં મંદિરથી જોડાયેલા તથ્યોને લઈને વિવાદ ન થાય.
જે બાદ હવે ચંપત રાય કહી રહ્યા છે કે રામમંદિર ભૂમિની નીચે ટાઈમ કેપ્સ્યુલ મૂકવાની વાત ખોટી છે અને હું આગ્રહ કરું છું કે ટ્રસ્ટ દ્વારા જ્યારે અધિકૃત નિવેદન આવે તેના પર જ વિશ્વાસ કરવામાં આવે.