ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 100ને પાર થઇ ગયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોના વાયરસના કેસ છે. ત્યારે આ દરમિયાન લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રસ્તા પર પેઇન્ટિંગ કરાયું છે. શિવરંજની ચાર રસ્તા પર 'ગો કોરોના ગો, કોરોના ભગાના હૈ, વિશ્વ બચાના હૈ' નું પેન્ટિંગ દોરાયું છે.