ભરતસિંહ સોલંકીનો ગૃહકંકાસ કોંગ્રેસમાં જ ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈ કોંગ્રેસ કાર્યકરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કરીને રોષ વ્યક્ત કર્યો
ભરતસિંહનો ગૃહકંકાસ બન્યો ચર્ચાનું કેન્દ્ર
કોંગ્રેસી કાર્યકરોનો ઓડિયો થયો વાયરલ
પરેશ ધાનાણીને કાર્યકરે કર્યો ફોન
ગુજરાતના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના ગૃહકંકાસનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરતસિંહ સોલંકીનો ગૃહકંકાસ કોંગ્રેસમાં જ ચર્ચાનો વિષય બન્યો છે. જેને લઈ કોંગ્રેસ કાર્યકરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કરીને રોષ વ્યક્ત કર્યો છે. ભરતસિંહ સોલંકીને કારણે કોંગ્રેસ બદનામ થતી હોવાનું કાર્યકરે ફોન પર રોષ ઠાલવ્યો છે. પરેશ ધાનાણી ભરતસિંહને વાત દિલ્લી પહોંચાડે તેવી પણ કાર્યકરે માગણી કરી છે. કાર્યકરના રોષની સામે પરેશ ધાનાણી કહ્યું કે, ભરતસિંહ હાલ કોઈ હોદ્દા પર નથી. કોંગ્રેસ કાર્યકર ધનજંય પટેલ અને પરેશ ધાનાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. કોંગ્રેસી કાર્યકરે ભરતસિંહ સોલંકીને સાઇડ લાઈન કરવાની સલાહ આપી હતી. ભરતસિંહના કારણે કોંગ્રેસ આવનારા સમયમાં પતી જશે તેવું પણ ફોન પર કોંગ્રેસી કાર્યકર વાત કરી હતી.