દેશમાં અત્યારે જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે દરેક પક્ષ પોતાની રીતે મતદાતાઓને આકર્ષવાની તૈયારી કરી રહ્યાં છે. આ વચ્ચે ગાંધીં પરિવારના નજીકના અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સામ પિત્રોડાએ જણાવ્યું કે પુલવામા હુમલાને લઇને પાકિસ્તાન પર આરોપ લગાવો એ ઠીક નથી. તેની સાથે જ પિત્રોડાએ કહ્યું કે મુંબઇ હુમલા માટે પુરા પાકિસ્તાનને દોષી જણાવવું પણ ખોટું છે.
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા અને આ મોટા હુમલા બાદ દેશભરમાં ઘણો વિરોધ જોવા મળ્યો હતો અને કેન્દ્ર સરકાર પર પણ તેને લઇને દબાણ હતું કે આ હુમલાને લઇને જવાબી કાર્યવાહી કરવામાં આવે. જો કે ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં જઇને બાલાકોટમાં ઘુસીને જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર એરસ્ટ્રાઇ કરી.
કોંગ્રેસના ઇન્ડિયન ઓવરસિઝ અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે પુલવામા હુમલાને લઇને પુરા પાકિસ્તાન પર આરોપ લગાવો તે ઠીક નથી. કેટલાંક લોકોની ભૂલને લઇ સજા આખા દેશને ન આપવી જોઇએ. આ જ રીતે મુંબઇ હુમલાને અંદાજે 8 લોકોએ અંજામ આપ્યો હતો તેના માટે પુરા દેશ પર આરોપ લગાવવો તે ખોટું છે.
અહિંયા સવાલ એ છે, શું સામ પિત્રોડા માટે ભારતીય જવાનો કરતા પાકિસ્તાનના આતંકીઓ વધું વ્હાલા છે. શું રાહુલ ગાંધી આવા નેતાઓ સામે કોઇ પગલા ભરશે. ભારતીય સેનાની કામગીરી પર સવાલ ઉઠાવવો કેટલો યોગ્ય છે. શું સામ પિત્રોડાને ભારત કરતા પાકિસ્તાન પ્રત્યે વધુ પ્રેમ છે. સામ પિત્રોડા આતંકી હુમલાને એક ભૂલ માને છે. આવા નિવેદનો કરતા નેતાઓ પર કોંગ્રેસ ક્યારે કાર્યવાહી કરશે.