પેન્શન ફન્ડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ પેન્શનની મર્યાદા અને ઉંમર વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદને લેખિતમાં જવાબ આપતા કહ્યું કે, 'અટલ પેન્શન યોજનાના પ્રસ્તાવની સરકાર દ્વારા તપાસ કરવામાં આવી છે.'
અટલ પેન્શન યોજના મુજબ, 60 વર્ષની ઉંમરથી સબક્રાઇબર એકથી 5 હજાર રૂપિયા વચ્ચે માસિક રાશિ પેન્શન રૂપે મેળવશે. આ તેમના શરૂઆતના વર્ષોમાં કરવામાં આવેલા યોગદાન પર નિર્ભર કરશે. સબ્સક્રાઇબરની મોત બાદ પેન્શન પતિ અથવા પત્નીને મળશે અને તેમના ન રહેવા પર આ પેન્શન નોમિનીને મળશે.
ન્યુઝ એજન્સીની એક રિપોર્ટમાં બતાવાયું હતું કે આ સ્કીમમાં પ્રવેશની ઉપરી ઉંમરની મર્યાદા વધારીને 50 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. હાલ યોજનાનો લાભ લેવાની ઉપરી મર્યાદા 40 વર્ષ છે. તેના સિવાય ગેરન્ટી લઘુત્તમ પેન્શન રાશિ બેગણી કરીને 10,000 રૂપિયા માસિક કરવાની પણ યોજના છે. આપને જણાવીએ કે, અત્યાર સુધી અટલ પેન્શન યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન મળે છે.
શું છે અટલ પેન્શન યોજના
મોદી સરકારની તરફથી અટલ પેન્શન સ્કીમની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. હાલની વાત કરીએ તો, આ સ્કીમ હેઠળ 18થી 40 વર્ષ સુધીના ઉંમરના કોઇપણ ભારતીય નાગરિક ખાતુ ખોલાવી શકે છે. આ ખાતામાં લઘુત્તમ 20 વર્ષ સુધી એક નિશ્ચિત રકમ નિવેશ કરવી પડશે.
આ પેન્શન સ્કીમમાં રોકાણના ઘણા ફાયદા છે. આ હેઠળ 60 વર્ષની ઉંમર થયા બાદ આપને આજીવન એક નિશ્ચિત રાશિ પેન્શન હેઠળ મળશે. મૃત્યુંની સ્થિતિમાં આપના સહયોગીને પણ આજીવન પેન્શન મળશે. સહયોગીના મૃત્યું બાદ જમા રાશિ આપના નોમિનીને પાછી મળશે. એટલે કે, આપના રોકાણના પૈસા ડુબશે નહીં. આપને જણાવીએ કે, આપને 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ જ સ્કીમ હેઠળ પેન્શનની રાશિ મળશે.
કેવી રીતે જોડાશો
આ આપના બેન્ક કે બ્રાન્ચ અથવા નેટ બેન્કિંગ દ્વારા ખાતુ ખોલાવી આ સ્કીમથી જોડાઇ શકે છે. સ્કીમ વિશે ડિટેલ જાણવા માટે તમે નીચેની લિંક પર વિઝિટ કરી શકે છે.