ગાંધીનગર નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલનો અભિવાદન કાર્યક્રમ
અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અભિવાદન
મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર
અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું
ગાંધીનગર નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીનું પાઘડી અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે મંત્રી મનીષા વકીલનું મોમેન્ટો અને ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલનું નિવેદન
અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કામ ના પ્રત્યેની ફરજને જ ઋણ સ્વીકાર હોવાનું જણાવી પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, દેશ તમામ લોકોના પ્રયાસથી જ કોરોના બહાર નિકળવામાં સફળ રહ્યો છે. જ્યારે તમામ દેશો કોરોનાથી થાકી ગયા, ત્યારે પ્રધાનમંત્રી મોદી ભારતને કોરોના મહામારીમાંથી બહાર લાવ્યા છે.
દ્રષ્ટિહીન માણસ અને અજ્ઞાની માણસ સરખા હોય છે-CM ભુપેન્દ્ર પટેલ
અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી કોરોના મહામારીમાથી બહાર આવ્યા છે. જ્યારે બધા દેશ થાકી ગયા પણ PM મોદી દેશને મહામારીમાંથી બહાર લાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દ્રષ્ટિહીન માણસ અને અજ્ઞાની માણસ સરખા હોય છે.આપણે આપણી જૂની પરંપરામાંથી બહાર નીકળવું પડશે. તમે બાળકોને સારું શિક્ષણ આપો.