જ્યારે કોઈ વિચાર, સ્વભાવ અને સંપર્કની તમારા પર નકારાત્મક અસર પડે છે તો તેને નજર લાગવું કહેવાય છે. તેનાથી તમારા અનેક કાર્યો પર અસર થાય છે. તો જાણો નજર દોષને દૂર કરવાના ઉપાયો પણ.
ક્યારે લાગે છે નજર
નજર લાગે તો શું થાય
જાણો નજર દોષને દૂર કરવાના ઉપાયો
દુનિયામાં 2 પ્રકારની ઉર્જા કામ કરે છે. એક સકારાત્મક અને બીજી નકારાત્મક. આ ઉર્જા આપણા વિચારો, વ્યવહાર, આદત અને શબ્દોથી બને છે. આપણા શરીર અને ઘરમાં ખાસ કરીને સકારાત્મક ઉર્જા હોય છે. જ્યારે કોઈ વિચાર, સવ્ભાવ અને સંપર્કની તમારા પર નકારાત્મક અસર પડે છે તો તેને નજર લાગવું કહેવાય છે. નજર લાગે તો સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ પર થોડા સમય માટે રોક લાગે છે. આ રોક ખૂબ જ ઝડપી અસર કરે છે અને કારણ વિના તમારી પ્રગતિ અને કામ રોકાઈ જાય છે.
ઘરમાં નજર દોષની સમસ્યાનો કેવો પડે છે પ્રભાવ
ઘરમાં નજર દોષ હોય તો કારણ વિના ઘર ભારે રહે છે. ઘરના લોકોમાં ક્લેશ વધે છે. ઘરમાં બીમારીઓમાં ધન ખર્ચ થાય છે. સામાન્ય રીતે વારેઘડી કામ ધંધામાં ઉતાર ચઢાવ આવે છે.
ઘરમાં આ રીતે કરો નજર દોષના ઉપાય
ઘરમાં કારણ વિના કચરો કે ભંગારનો સામાન ન રાખો. ઘરના પૂજા સ્થાને રોજ સાંજે દીવો કરો. રોજ સવાર અને સાંજે ઘરમાં ગૂગળ કે ચંદનની અગરબત્તી કરો. ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ રંગનો સ્વસ્તિક બનાવો. અઠવાડિયે એક વાર ઘરમાં કીર્તન, ભજન કે ધાર્મિક પાઠ કરો.
રોજગાર પર નજર દોષની સમસ્યાનો પ્રભાવ અને ઉપાય
કરોજગાર પર નજર દોષના કારણે નોકરી વારે ઘડી છૂટી જાય છે. લાંબા સમય સુધી નોકરી વિના રહેવું પડે છે. કારોબાર પર નજર દોષના કારણે કામ એકદમથી બંધધ થઈ જાય છે. વિના કારણ લાગે છે કે વ્યવસાય બંધ થયો છે. કારોબારમાં રોકેલું ધન અચાનકથી ફસાઈ જાય છે. આ માટે તમે કારોબારના સ્થાને લાલ રંગના હનુમાનજી સ્થાપિત કરો. રોજ તેમને લાલ ફૂલ ચઢાવો અને ગુલાબની અગરબત્તી કરો. આ સિવાય ઓફિસમાં રોજ શંખમાં જળ ભરીને છંટકાવ કરો.
નોકરી પર નજર દોષના ઉપાય
જો તમને નોકરીમાં સમસ્યા આવી રહી છે તો એક લોખંડની કિચેનમાં ડાબા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો. રોજ સવારે ઘરેથી નીકળતા ગોળ ખાઈ લો અને સાથે શક્ય હોય તો કામ કરવાનું ટેબલ સાફ રાખો.
વ્યક્તિ પર નજર લાગવાનો પ્રભાવ અને ઉપાય
વ્યક્તિ કારણ વિના બીમાર પડે છે. આ સિવાય તેનું કારણ અને નિવારણ પણ ખબર પડતી નથી. વ્યક્તિનું મન વિના કારણ અશાંત અને ખરાબ રહે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના સંબંધો અને ચીજોને ખરાબ કરવા લાગે છે. જો તમે પણ નજર દોષના શિકાર છો તો તમે તમારા થોડા વાળ લો કે દાઢી કરો. આ પછી કેવડાનું જળ નાંખીને સ્નાન કરો. લાલ મરચાના બીજ ચાવી લો. નજર દોષથી બચીને રહેવા ચંદનની સુગંધનો પ્રયોગ કરો. ઘરથી બહાર નીકળતા ગોળ ખાઈને નીકળો.