આજે અમે તમને ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષી ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચપ્પલ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું
ચપ્પલ સાથે જોડાયેલ થોડા જ્યોતિષી ઉપાયો
આવી રીતે ચપ્પલ પડી રહે તો ઘરમાં તે બીમારીની આમંત્રિત કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ અને સામાન સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો એમ અલગ અલગ ઉર્જાનો સંચાર કરે છે. આવી પરીસ્થિતિમાં તે વસ્તુ અને સામાનને સાચી જગ્યા પર રાખવી ખૂબ જ રૂરી છે. આટલું જ નહીં પણ દરેક વસ્તુને સાથે સાથે પગમાં પહેરવામાં આવતા ચપ્પલ પણ કોઈ વ્યક્તિની કિસ્મત ચમકાવવામાં યોગદાન આપે છે. તમને જણાવી દઈએ કે ચપ્પલ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ રોડપતિથી કરોડપતિ બની શકે છે. પણ જો આવી વાતો આપણે નકારીએ તો કરોડપતિમાંથી રોડ પતિ બનતા પણ સમય નથી લાગતો. આજે અમે તમને ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષી ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ચપ્પલ સાથે જોડાયેલ થોડા જ્યોતિષી ઉપાયો
- લગભગ દરેક લોકોના ઘરમાં તૂટેલ અથવા ખરાબ ચપ્પલ જોવા મળી રહે છે. દરેક લોકો એમ વિચારીને રાખે છે થોડા સમય પછી તેને ઠીક કરીને ફરી વાપરી લઈશું અથવા તો કોઈ જરૂરિયાતના સમયે તે કામ આવી જશે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રાખેલ તૂટેલ ચપ્પલ ઘરમાં અશાંતિનું કારણ બની શકે છે. એટલા માટે તેને તુરંત હટાવી દો.
- ઘણી વખત ચપ્પલ ઉતરતા સમયે એક ચપ્પલ પર બીજું ચપ્પલ ચઢી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. આ સિવાય જો કોઈ ચપ્પલ ઉતાવ્યા પછી તે ઊલટી થઈ જાય છે તો તેને તુરંત સીધી કરવી જોઈએ. આવી રીતે ચપ્પલ પડી રહે તો ઘરમાં તે બીમારીની આમંત્રિત કરે છે.
- કહેવાય છે કે ઘરના આંગણે ક્યારેય ચપ્પલ ન ઉતારવા જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી કરતી.
- ક્યારેય ઘરના દરવાજા પર ચપ્પલ ન ઉતારવા જોઈએ. આ સાથે જ ક્યારેય કોઈ પાસેથી જૂતાં-ચપ્પલને ગિફ્ટ તરીકે ન સ્વીકારવા જોઈએ. એ ગરીબીને આમંત્રિત કરે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર જૂતા-ચપ્પલ પહેરવાથી ભાગ્ય ચમકે છે.
- આ સાથે જ જૂતાં-ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું કે ન બનાવવું જોઈએ. આ સાથે જ શનિવારે ચપ્પલના દાનને ખૂબ શુભ માનવામાં આવે છે.