શનિદેવ આમ તો દરેક પ્રત્યે ન્યાયશીલ અને દયાળુ હોય છે પરંતુ નૈતિક રુપે તે સબળ વ્યક્તિને કરિયર કારોબારમાં સહયોગી છે.
દિશા પ્રમાણે બદલાશે શનિની દ્રષ્ટિ
વ્યવસાયની દિશા યોગ્ય હશે તો વરસશે કૃપા
પર્સનલ જીવનમાં પણ શુભ માનવામાં આવે છે
પર્સનલ જીવનમાં પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં શનિદેવની કૃપાથી પશ્ચિમ દિશાને કળિયુગમાં મહત્વની માનવામાં આવે છે.
પશ્ચિમ મુખી દુકાન ઑફિસ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન શનિના પ્રભાવથી સફળતામાં સહાયક છે. એવામાં પશ્ચિમ મુખી વ્યવસાયો અતિ પ્રભાવી બની જાય છે. વ્યવસાય માટે ભૂમિ પૂજન પૂર્વને જ ધ્યાનમાં રાખીને નહી પરંતુ પશ્ચિમને ધ્યાનમાં રાખીને કરવું જોઇએ.
શનીને જનતાનો કારક માનવામાં આવે છે. પશ્ચિમ મુખી ભવનોમાં મોડી સાંજ સુધી આકાશીય આભાનો પ્રભાવ રહે છે. બદલતી જીવનશૈલીમાં સાંજ અત્યંત મહત્વપૂર્ણ થઇ ગઇ છે. આવામાં વાસ્તુની દ્રષ્ટિએ પશ્ચિમ દિશાને નમતા સુરજની દિશા માનીને કમજોર આંકવી ઉચીત નથી.
જ્યોતિષાચાર્યનું કહેવું છે કે, પશ્ચિમ દિશામાં દુકાનોનું હોવુ વાસ્તુ સમ્મત છે. આજના જમાનામાં સાંજે મોડે સુધી કામકાજ થાય છે. આવામાં આ દિશા વધુ પ્રભાવી થઇ જાય છે. શનિ છાયાનો શત્રુ છે,. સાંજે છાયાનો પ્રભાવ વધી જાય છે અને આ જ શનિની સબલતા વધારે છે. આવામાં પશ્ચિમ દિશાને બળ મળી શકે છે.