આસામ પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ મામલાની જાણકારી કોગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ટ્વિટ કરીને આપી હતી.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ
આસામમાં થયેલી ફરિયાદના આધારે ધરપકડ
મેવાણીએ કરેલા ટ્વીટ મુદ્દે ફરિયાદ થઈ હતી
असम पुलिस ने गुजरात पुलिस के साथ रहकर गुजरात के विधायक श्री जिग्नेश मेवानी को रात 11:30 बजे हिरासत में लेकर 21/04 अहमदाबाद से सुबह 4 बजे ट्रेन से असम ले जाने की खबर है।एक लोकसेवक को इस तरह रात को कोइ क्रिमिनल की तरह ट्रीट करना निंदनीय है।
में रेलवे स्टेशन मिलने आ रहा हु 3.30 बजे pic.twitter.com/F3A63bSimW
આસામમાં થયેલી ફરિયાદના આધારે આસામ પોલીસે કરી ધરપકડ
જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થકો દ્ધારા એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો.જો કે,ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
પાલનપુરથી જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરાઈ
મહત્વનું છે કે, જીજ્ઞેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ.
असम पुलिस ने गुजरात के विधायक युवा नेता श्री जिग्नेश मेवानी को रात 11:30 बजे हिरासत में लेकर 21/04 अहमदाबाद एरपोर्ट से सुबह 4 बजे असम ले जा रहे है में उनसे एरपोर्ट में मिला । और जल्द से जल्द उन्हें न्याय दिलाने का वादा किया। @jigneshmevani80pic.twitter.com/TDC5HPt4Vb
કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા
મહત્વનું છે કે, મેવાણીના સમર્થનમાં મધરાત્રે કોગ્રેસના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓએ જીજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. બીજી તરફ મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ ટ્વીટ મામલે ફરિયાદ કરાઈ છે. સીઆરપીસી 80 નો ભંગ કરી ધરપકડ કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઇ નથી.
આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે એરપોર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાતે 3.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપ ની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું. pic.twitter.com/pHXrYxussh
મેવાણીની ધરપકડને લઇને જગદીશ ઠાકોરે કહ્યું હતું કે જીજ્ઞેશે આર.એસ.એસ પર ટ્વિટ કર્યું હતું તેને લઇને ફરિયાદ કરવામાં આવી હતી. જે ધારાસભ્ય પૈસાથી ન માને તે ધારાસભ્યને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન છે. જીજ્ઞેશ કે કોંગ્રેસે આવી ફરિયાદથી ડરવાની નથી. અમારી લીગલ ટીમ લડત આપશે અને જીજ્ઞેશને છોડાવશે.