પૂર્વોત્તરના રાજ્યોમાં આસમાનથી આફતનો વરસાદ વરસ્યો છે. અસમના 23 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીનું માનીએ તો પૂરના કારણે 2 લોકોના વધુ મોત સાથે કુલ મૃત્યુઆંક 18 પહોંચ્યો છે. આ સિવાય અસમના 9.3 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે.
અસમમાં વધ્યો પૂરનો પ્રકોપ
23 જિલ્લાના 9 લાખથી વધુ લોકો પ્રભાવિત
18થી વધુ લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
કયા જિલ્લા સૌથી વધુ પ્રભાવિત
એએસડીએમએનું કહેવું છે કે ઘેમાજી, લખીમપુર, બિશ્વનાખ, ઉદલગુરી, દર્રાંગ, નાલબારી, બારપેટા, બોંગાઈગામ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપારા, કામરૂપ, મોરીગામ, હોજઈ, નાગાવ, નાગાલોન, નૌગાંવ, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનસુકિયા અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાની 9 લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. પૂરની સૌથી વધુ અસર અત્યારે બારપેટા જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં 1.35 લાખ વસ્તી પ્રભાવિત છે. ઘેમાજીમાં 1 લાખ, નાલબારીમાં 96 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 24 કલાકમાં એસડીઆરએફ, જિલ્લા પ્રશાસન સહિત તમામ એજન્સીઓએ 5 જિલ્લામાં 9303 લોકોને બચાવ્યા છે.
મળતી માહિતી અનુસાર પૂરના પ્રકોપમાં કુલ 2071 ગામ છે અને 68 હજાર હેક્ટરથી વધુ ફસલ બર્બાદ થઈ ચૂકી છે. ઓથોરિટીની તરફથી 12 જિલ્લામાં 193 રિલિફ કેમ્પ અને ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર તૈયાર કરાયા છે. 27 હજારથી વધારે લોકો શેલ્ટર હોમમાં રખાયા છે. અનેક જગ્યાઓએ બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
Spoke to Assam Chief Minister Shri @sarbanandsonwal and Shri @himantabiswa to take stock of the alarming situation in Brahmaputra river and landslides near Guwahati. All possible help has been assured to the State. Modi government stands firmly with the people of Assam.
અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં પાણી સતત વધતું પાણી ખતરાના નિશાનની ઉપર પહોંચ્યું છે. રાજ્ય સરકારની ચિંતા જોતાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા શર્મા સાથે સ્થિતિની ગંભીરતાને લઈને વાત કરી હતી. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે અમે બ્રહ્મપુત્ર નદી અને ગુવાહાટીમાં ભૂસ્ખલનની જાણકારી લીધી છે અને શક્ય તમામ મદદ માટે અમે આશ્વાસન આપીએ છીએ. મોદી સરકાર અસમના લોકોની સાથે જ છે.