આખી દુનિયાના ક્રિકેટ પ્રશંસકોની નજર અત્યારે થોડા દિવસમાં શરૂ થતા એશિયા કપ પર મંડાયેેલી છે. પરંતુ આ મોટી ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમનો એક મોટો મેચ વિનર ફોર્મમાં નથી.
ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ છે આ ખેલાડી
ઝીમ્બાબ્વે સામેની મેચમાં ધાર્યુ પ્રદર્શન ના કરી શક્યો આ ખેલાડી
એશિયા કપમાં આ ખેલાડીની બેટીંગથી ટીમને ભારે નુકસાન થઇ શકે
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડીયાનો ખેલાડી વિનર ફોર્મમાં નથી
એશિયા કપમાં ભારતીય ટીમ પોતાાની પ્રથમ મેચમાં 29 તારીખે પાકિસ્તાનનો સામનો કરવાની છે. ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમે પાકિસ્તાનની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આ વખતે ભારતીય ટીમ જૂનો બદલો પણ લેવા ઈચ્છશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો એક મોટો મેચ વિનર ફોર્મમાં નથી.
ખૂબ નિરાશાજનક ફોર્મમાં છે આ ખેલાડી
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ઓપનિંગ બેટર કેએલ રાહુલ લાંબા સમયથી ઈજાગ્રસ્ત થયા બાદ હાલમાં ઝીમ્બાબ્વેની સામે પાછો આવ્યો હતો. જો કે, તેમની પાસેથી જેવી અપેક્ષા હતી તેઓ તેવુ પ્રદર્શન કરી શક્યા નહીં. રાહુલ પાસે અપેક્ષા હતી કે તેઓ આ સીરીઝ દ્વારા પોતાના ગુમાયેલા ફોર્મને ફરીથી પ્રાપ્ત કરી શકશે. પરંતુ ઝીમ્બાબ્વેના નબળા બોલિંગ એટેક સામે તેમની બેટીંગની વધુ ચિંતા વધી ગઇ છે. એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મોટી ટીમો સામે કેએલની બેટીંગથી ટીમને ભારે નુકસાન પણ થઇ શકે છે.
બેટીંગથી ખાસ પ્રદર્શન કરી શક્યા નથી
ઝીમ્બાબ્વે પ્રવાસ વખતે કેએલ રાહુલ બેટિંગથી ખાસ કશું ઉકાળી શક્યા નથી. આ શ્રેણીમાં તેઓ ત્રણ વન-ડે મેચમાં કેપ્ટન હતા. પહેલી મેચમાં ઈનિંગની શરૂઆત ના કરવાને કારણે રાહુલને બેટીંગ નહોતી મળી. જ્યારે બીજી મેચમાં તેઓ માત્ર એક રન બનાવીને પેવેલિયન ભેગા થયાા હતા. તો અંતિમ વન-ડેમાં તેમની પાસેથી એક મોટી ઈનિંગની આશા હતી. પરંતુ તેઓ માત્ર 30 રન બનાવીને જતા રહ્યાં. એવામાં રાહુલનુ ફોર્મ આગામી એશિયા કપ પહેલા ભારતીય ટીમ માટે મોટી ચિંતાનો મુદ્દો છે.