ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં અનેક આંદોલનોનો રાફડો ફાટ્યો છે. જેમાં બુધવારે આંદોલન સમટેલી લેનારી આશા વર્કર્સ માટે આજે ખુશખબર આવ્યા છે.
આશા વર્કર બહેનોની માંગ સરકારે સ્વીકારી
આશા વર્કર અને આશા ફેસિલિટેટરના પગારમાં કરાયો વધારો
21 તારીખે સમેટ્યું હતું આંદોલન
21 સપ્ટેમ્બર 2022(બુધવાર)એ આશા વર્કર મહિલાઓનું વધુ એક આંદોલન સમેટાયું હતું. રાજ્ય સરકારે માગ સ્વીકારતા આશા વર્કર બહેનોએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારે આજ રોજ(શુક્રવાર) રાજ્ય સરકારે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટરનો પગાર વધારો જાહેર કર્યો છે. જેમાં આશા વર્કર્સનો 2500 રૂપિયાનો પગાર વધારો થતા હવે તેને 8500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો કરાતા હવે તેને 6000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત તમામ કર્મીને દર વર્ષે 2-2 જોડી કપડા પણ આપવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ આશા વર્કરને 6000 રૂ. અને આશા ફેસિલિટેટરને 4000 રૂ. પગાર ચુકવવામાં આવતો હતો. તેમને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં આવતી હતી.
21 સપ્ટેમ્બરે આશા વર્કરોએ સમેટ્યું હતું આંદોલન
બુધવારે જીતુ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવાલાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે, તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય માંગણીઓ શું હતી?
( 1 ) આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો માટે વર્ગ ચાર નું રેગ્યુલર મહેકમ ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે.
( 2 ) ઈન્સેન્ટિવ જેવી શોષણ કરી પ્રથા બંધ કરીને આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો ને સાતમાં પગારપંચ મુજબ લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવે.
( 3 ) પ્રસૂતિના સમયગાળા દરમિયાન આશાવર્કર આશા ફેસિલિટેટર બહેનોને તેમજ માનદ વેતન , ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા માં કામ કરતી હજારો મહિલાઓ ને અન્ય સરકારી મહિલા કર્મચારીની જેમ 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે.
(4) 45 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવનાર આશાવર્કર તેમ જ આશા ફેસિલિટેટર બહેનોને પણ પેન્શન યોજનામાં સમાવવામાં આવે.
( 5 ) આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને એમની કામગીરી , અભ્યાસ અને અનુભવના આધારે એફ.એચ .ડબલ્યુ તરીકેનું પ્રમોશન આપવામાં આવે.
( 6 ) સંસ્થાકીય સુવાવડના કિસ્સામાં એ . પી . એલ અને બી . પી . એલ નો ભેદ દૂર કરી તમામ સગર્ભા એ.એન.સી નું મહેનતાણું ચૂકવવામાં આવે.
( 7 ) દર વર્ષે વિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટમાં આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવામાં આવે.
( 8 ) દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સાડીઓ આપવામાં આવે.
( 9 ) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવે . તેમજ આરોગ્યનો વીમો આપવામાં આવે.
( 10 ) કામના કલાકો નક્કી કરવામાં આવે .
વનરક્ષકની 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી: જીતુ વાઘાણી
મહત્વનું છે કે સરકારના જણાવ્યા મુજબ વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ હતું. વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે. ગુજરાતની જનતા રાજકીય હાથા બને એમ નથી.