બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / asaram bapu approaches supreme court for bail in sexual harassment case

અરજી / જેલમાં બંધ આસારામ બાપૂએ માંદગીનો હવાલો આપી જામીન માટે કરી સુપ્રીમ કોર્ટમાં અરજી

Pravin

Last Updated: 09:55 PM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

  • દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂને જામીન માટે અરજી કરી
  • અગાઉ પણ અનેક વખતે જામીન અરજી થઈ ચુકી છે રદ
  • ઉંમર અને બિમારીનો હવાલો આપી જામીન આપવા માટે કરી આજીજી

સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂની અરજી પર ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે અને 7 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે. પોતાની અરજીમાં આસારામ બાપૂએ ખરાબ તબિયત અને બિમારીનો હવાલો આપતા જામીનની માગ કરી છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં આસારામ બાપૂએ કહ્યું કે, તેમના પર જે રીતે ગંભીર કેસને લઈને ટ્રાયલ ચાલી રહી છે, તેથી તેમને નથી લાગતું કે, આ ટ્રાયલ તેમના વિરુદ્ધ ક્યારેય પણ ખતમ થાય. જામીન અરજીમાં એવું પણ કહેવાયુ છે કે, છેલ્લા 9 વર્ષથી જેલમાં છે અને તેમની ઉંમર 80 વર્ષથી વધારે છે. હવે તેઓ સતત માંદા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરી તેમને જામીન આપે. 

આસારામ કેટલીય વાર લગાવી ચુક્યા છે જામીન અરજી

આ અગાઉ પણ આસારામ બાપૂએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજી કરી ચુક્યા છે. પણ કોર્ટે તરફથી તેમને કોઈ રાહત નથી મળી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂને મેડિકલ આધાર પર વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી હતી. આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ આધાર પર 6 અઠવાડીયાના જામીન માગ્યા હતા. પણ વચગાળાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આસારામ 9 વર્ષથી જોધપુર સેન્ટ્ર્લ જેલમાં બંધ છે. આ 9 વર્ષમાં તેણે પોતાની જામીન અરજી માટે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જામીન અરજી કરેલી છે, પણ તેને રાહત મળતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ