તેલંગાણાની જનતાએ ટીઆરએસનાં પ્રધાન અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને સ્પષ્ટ બહુમત આપી દીધેલ છે. જો કે ટીઆરએસ 50 સીટો હાંસલ કરી ચૂકેલ છે અને 37 સીટો પર આંકડો બનાવી ચૂકેલ છે. ગજવેલથી જીત બાદ અને જનતાનાં સમર્થન બાદથી ગદગદ ચંદ્રશેખર રાવે વધુ એક 2019ની લોકસભા ચૂંટણીને માટે બ્યૂગલ વગાડી દીધેલ છે.
તેઓએ કહ્યું કે અમે બીજી અન્ય રાજનૈતિક પાર્ટીઓ સાથે વાત કરી અને હું તે કહી દેવા ઇચ્છું છું કે 2019ની ચૂંટણીમાં અમે મહત્વની ભૂમિકા નિભાવીશું. ત્યાં બીજી બાજુ તેઓએ કહ્યું કે રાષ્ટ્રીય રાજનીતિમાં હું સક્રિય ભૂમિકામાં હાજર રહીશ.
અસરૂદ્દીન ઓવૈસીએ કહ્યું 'ચંદ્રશેખરમાં પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા':
એક તરફ એઆઇએમઆઇએમ પ્રમુખ અસરૂદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું આ જવાબદારી સાથે કહેવા ઇચ્છું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં ચંદ્રશેખર રાવ પાસે તે ક્ષમતા છે કે તે પોતે દેશનું નેતૃત્વ કરે. તેઓએ કહ્યું કે 'હવે આ દેશને કોંગ્રેસ અને ભાજપ સિવાય એક ત્રીજા નેતૃત્વની જરૂરિયાત છે અને આ ક્ષમતા ચંદ્રશેખર રાવમાં છે.
ઓવૈસીએ જણાવ્યું કે છેલ્લાં ત્રણ મહીનાથી તેઓને નજીક જોયાં બાદ મને લાગે છે કે આ દેશને તેનાં જેવા નેતાની જરૂરિયાત છે. તેઓએ કહ્યું કે 2019ની ચૂંટણી સુધી હું ચંદ્રશેખર રાવ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલીશ. મને લાગે છે કે તેઓનું આગામી પગલું દેશનાં વિકાસ માટે મહત્વનું રહેશે. 2019ની ચૂંટણીમાં જનતા નોન કોંગ્રેસ અને નોન ભાજપ સરકારને જગ્યા દેશે.
A Owaisi: After seeing K Chandrasekhar Rao from very close quarters I feel that this nation deserves a leader like him&I hope that next step he'll take will be successful&I'll stand shoulder to shoulder with him ensuring that in '19 election there's a non-Congress & non-BJP govt. https://t.co/0O63XFk7fv