દેવેન્દ્ર ફડવવીસ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું કે અમે જે નિર્ણય લીધો છે તે બાળાસાહેબના હિંદુત્વ અને અમારા ધારાસભ્યોના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે પ્રતિબદ્ધ છે. અમારી સાથે 50 ધારાસભ્યો છે. અમે અમારા મતવિસ્તારની ફરિયાદો અને વિકાસ કાર્યો સાથે ભૂતપૂર્વ સીએમ ઠાકરેની પાસે ગયા અને તેમને સુધારાની જરૂરિયાત અંગે સલાહ આપી કારણ કે અમને અહેસાસ થવા લાગ્યો કે આગામી ચૂંટણી જીતવી અમારા માટે મુશ્કેલ હશે. અમે ભાજપ સાથે કુદરતી ગઠબંધનની માગણી કરી હતી.
BJP has 120 MLAs but despite that Devendra Fadnavis didn't take the post of CM. I express my gratitude to him along with PM Modi, Amit Shah & other BJP leaders that they showed generosity & made Balasaheb's Sainik (party-worker) the CM of the state: Eknath Shinde pic.twitter.com/OKUn19L33x
ભાજપે મોટું મન રાખ્યું, વધારે સંખ્યા હોવા છતા મને મુખ્યમંત્રી બનાવ્યો
ભાજપ પાસે 120 ધારાસભ્યો છે પરંતુ તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ સંભાળ્યું ન હતું. હું પીએમ મોદી, અમિત શાહ અને અન્ય બીજેપી નેતાઓ સાથે તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ ઉદારતા બતાવી અને બાળાસાહેબના સૈનિક (પાર્ટી-વર્કર)ને રાજ્યના સીએમ બનાવ્યા.
A total of 50 MLAs are with us, including 40 MLAs from Shiv Sena...We have fought this battle so far with their help...I will not let even a scratch mar the trust that these 50 people have placed in me - let alone break that trust: Maharashtra CM-designate Eknath Shinde pic.twitter.com/2f877rCMB5
શિવસેનાના 40 ધારાસભ્યો સહિત કુલ 50 ધારાસભ્યો અમારી સાથે
શિવસેનાના 40 ધારાસભ્યો સહિત કુલ 50 ધારાસભ્યો અમારી સાથે છે...અમે તેમની મદદથી અત્યાર સુધી આ લડાઈ લડી છે...આ 50 લોકોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેમને હું ઉની આંચ નહીં આવવા દઉં અને તેમનો વિશ્વાસ ટકાવી રાખીશ.
We went to former CM Thackeray with our constituency's grievances & development work along with advising him on need for improvement as we started realizing that it would be difficult for us to win the next elections. We demanded for a natural alliance with BJP:Eknath Shinde pic.twitter.com/G8YkAvabT2
મહારાષ્ટ્રના વિકાસ માટે અમે એક સાથે આવ્યા
એકનાથ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ માટે અમે એક સાથે આવ્યા છીએ. આજે સાંજે 7.30 વાગ્યે માત્ર શિંદે જ શપથ લેશે. મહા વિકાસ આઘાડી સરકારમાં કામ કરવામાં અમને સમસ્યાઓ આવી રહી હતી. અમે ઉદ્ધવ ઠાકરેને આ વિશે જણાવ્યું હતું. અમે અમારો પક્ષ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભાજપ સાથે અમારું સ્વાભાવિક જોડાણ હતું. બાળાસાહેબના વિચારો સાથે આગળ વધ્યા ત્યારે અંતે સરકારે હિન્દુત્વ અંગે કેટલાક નિર્ણયો લીધા હતા.
ઉદ્ધવ મળવાનો સમય નથી આપતા
શિંદેએ આરોપ લગાવ્યો કે, શિવસેના હિન્દુત્વના મુદ્દે ભટકી ગઈ છે, ઉદ્ધવ મળવાનો સમય નથી આપતા. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી ત્યારે વધી જ્યારે મહા વિકાસ અઘાડીને ટેકો આપનારા નાના પક્ષો અને અપક્ષોએ રાજકીય ઉથલપાથલ વચ્ચે એકસાથે જવાનું શરૂ કર્યું. જ્યારે શિવસેના દ્વારા બળવાખોરોને ડરાવવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી હતી, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લાગણી દર્શાવી હતી, પરંતુ મામલો થાળે પડ્યો ન હતો.