તનિષ્ક બાદ હવે ઇ કોમર્સ કંપની એમેઝોનની મુશ્કેલી વધતી દેખાય છે. કથિત રૂપથી હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશ્યલ મિડીયા પર લોકો દ્વારા એમેઝોનને બાયકૉટ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, ઓમ હિન્દુ ધર્મ માટે પવિત્ર માનવામાં આવે છે. સોશ્યલ મિડીયા પર ચાલી રહેલી ચર્ચાઓ પરથી એવુ સાબિત થાય છે તે એમેઝોન પર વેચાઇ રહેલા ઓમ લખેલા પગલૂછણીયા વેચાઇ રહ્યાં છે. આ સિવાય હિન્દુ દેવી દેવતાઓના ચિત્રવાળા ઇનરવિયર વેચવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.
શું કહે છે વિરોધ કરનારા લોકો
ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, હિન્દુત્વની અવમાનના કરવા માટે હું એમેઝોનનો બહિષ્કાર કરુ છું. તેમાં કથિત રીતે એમેઝોન પર કેટલાક ઇનરવિયરની તસવીરો અપલોડ કરી છે જેમાં હિન્દુ દેવી દેવતાઓના ચિત્ર બનેલા છે,
સમર્થનમાં આવ્યા લોકો
કેટલાક લોકો એમેઝોનના સમર્થનમાં આવ્યા છે અને લખ્યું કે આમાં એમેઝોનની શું ભૂલ છે. તે એક પ્લેટફોર્મ છે જ્યાં લોકો સામાન વેચે છે. બહિષ્કાર કરવો જ છે તો વેચનારા લોકોનો કરો.
તનિષ્કની વધી હતી મુશ્કેલીઓ
મહત્વનું છે કે આ પહેલા સંવેદનશીલ એડને લઇને તનિષ્કને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફેસ્ટિવ સિઝનને જોતા તનિષ્કે હિન્દુ છોકરીને મુસ્લિમ પરિવારની વહુ બતાવી હતી અને તેને લઇને એક વીડિયો બનાવ્યો હતો. તે વીડિયો મુશ્કેલીનો કારણ બની ગયો હતો.
આ એડ બાદ તનિષ્કનો લોકો બહિષ્કાર કરવા લાગ્યા હતા અને જેના કારણે તનિષ્કે આ એડને ડિલીટ કરવી પડી હતી, કથિત રીતે આ એડ લવ-જેહાદને પ્રમોટ કરતી હતી અને તેને લઇને ખૂબ જ વિરોધ થયો હતો.