કહેવાય છે કે શાહરૂખનું ઘર મન્નત જન્નત જેવું છે અને તેની કિંમત 350 કરોડથી વધારેની કહેવામાં આવે છે. જેણે મુંબઇ જઇને શાહરૂખનું ઘર નથી જોયું તેની ટ્રીપ અધૂરી માનવામાં આવે છે.
કિંગ ખાનના દિકરાના શું થયા હાલ?
આર્યન જેલમાં વોશરૂમ જવાથી બચે છે
બિસ્કિટ ખાઇને કામ ચલાવે છે આર્યન
આર્યનની મન્નત
લિવિંગ રૂમ, લાઇબ્રેરી, બેડરૂમ, પ્લે એરિયા, પ્રાઇવેટ બાર, સ્વિમિંગપૂલ જેવી લગ્ઝરી સુવિધાઓમાં ઉછરેલો આર્યન જેલમાં રહેવા માટે મજબૂર બન્યો છે. આર્યન જેલમાં રડ્યા જ કરે છે અને વોશરૂમ જવાથી ખાસ બચે છે.
હાઇજીનને લઇને પરેશાન
જેલના સૂત્રો અનુસાર આર્યન જેલમાં રડ્યાં જ કરે છે અને પોતાની હેલ્થ અને હાઇજીનને લઇને પરેશાન છે. આર્યનને જેલનું જમવાનું તો પસંદ પડી જ નથી રહ્યું પરંતુ તે પાણી પણ નથી પી રહ્યો. આર્યન હાઇજીન ઇશ્યુને લઇને વોશરૂમનો વપરાશ કરવાથી પણ બચે છે.
બિસ્કીટ ખાઇને કામ ચલાવે છે
આર્યન સ્ટારકિડ છે પણ તેને કોઇ વિશેષ સુવિધા આપવામાં નથી આવી. અન્ય કેદીઓની જેમ જ તેને રૂટિન ફોલો કરવું પડે છે. કેદિયો સાથે જ ખાવું અને ઉંઘવું પડે છે. હા કોઇ કેદી કેન્ટીનથી કંઇ ખાવા માંગે છે તો તેને 4500 રૂપિયાની લિમિટ આપેલી છે. હાલમાં જ શાહરુખે 4500 રૂપિયા મની ઓર્ડર દ્વારા આર્યનને જેલમાં મોકલી આપ્યા હતા. તે બિસ્કિટ ખાઇને જ પોતાનું કામ ચલાવી રહ્યો છે.
જેલની પૂજામાં થાય છે સામેલ
જામીનની અરજી વારંવાર રિજેક્ટ થવા પર આર્યન ભગવાનને યાદ કરી રહ્યો છે. આર્યન જેલમાં થતી પૂજામાં રોજ જાય છે અને પ્રાર્થના કરે છે. પોતાને જામીન કેમ નથી મળી રહી તેને લઇને તે પ્રાર્થના કરતો દેખાય છે.
આરતી કરે છે આર્યન
જેલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આર્યન જે બેરેકમાં છે ત્યાં એક નાનકડું મંદિર છે. તે મંદિરમાં રોજ સાંજે 7 વાગે આરતી થાય છે. આર્યન પણ આરતીમાં સામેલ થાય છે અને જ્યાં સુધી આરતી પતી નથી જતી ત્યાં સુધી તે ત્યાંથી હલતો પણ નથી. શાહરૂખ થોડા સમય પહેલા તેને મળવા જેલમાં પહોંચ્યો હતો. ઇન્ટરકોમ પર 10 મીનિટ બંને વચ્ચે વાત થઇ હતી.