શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની NCBએ ધરપકડ કરી બાદમાં આર્યને ઘણા ખુલાસા કર્યા છે. તેણે એક એવી વાત પરથી પરદો ઉઠાવ્યો જાણીને તમને પણ શોક લાગશે.
શાહરુખને મળવા આર્યને લેવી પડે છે અપોઇન્ટમેન્ટ
NCBની પૂછપરછમાં આર્યને કર્યો ખુલાસો
શાહરુખ હાલમાં 3 ફિલ્મોની શૂટિંગ કરી રહ્યો છે
શાહરુખ ખાન બીઝી રહે છે
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન પોતાના ફેન્સને એન્ટરટેઇન કરવામાં કંઇ બાકી રાખતા નથી. નાના મોટા કામમાં હંમેશા તે બિઝી હોય છે. એક સાથે તે ઘણા પ્રોજેક્ટ પર કામ કરે છે ત્યારે તેના બાળકોને મળવા માટે પણ એપોઇમેન્ટ લેવી પડે છે. આ વાતનો ખુલાસો આર્યને કર્યો છે.
આર્યને કહ્યું પિતા બિઝી રહે છે
આર્યનની પૂછપરછ દરમિયાન તેણે શાહરુખના બિઝી શેડ્યુલ વિશે જાણકારી આપી છે. તેણે કહ્યું કે પપ્પા હમણા 3 ફિલ્મોની શૂટિંગ કરી રહ્યાં છે અને અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ખુબ મહેનત કરી રહ્યાં છે.
મારે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે
આર્યને કહ્યું મારા પપ્પા એટલા બિઝી રહે છે કે ઘણીવાર મારે તેમને મળવા માટે તેમની મેનેજર પૂજા પાસે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ત્યારે જઇને હું શાહરુખને મળી શકું છું.
આર્યનની ધરપકડ
મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનથી ડ્રગ્સ મામલે સતત પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તમામ આરોપીઓને કિલા કોર્ટમાં રજૂ કરાયા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને સોમવારે રાહત નથી મળી. સુનાવણી દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે, NCBએ ત્રણેય આરોપીઓની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગી હતી.
વોટ્સએપ ચેટથી થયો ખુલાસો
કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે દવાઓ માટે રોકડ વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે, જેની આપણે તપાસ કરવાની છે.
અનિલ સિંહે કહ્યું કે આર્યન ખાન વોટ્સએપ પર ડ્રગ પેડલર્સ સાથે કોડ વર્ડમાં દવાઓ વિશે વાત કરતો હતો. તેમણે કહ્યું કે આર્યન ખાન સિવાય બાકીના આરોપીઓ પણ રેકેટ તરીકે કામ કરતા હતા. આ કેસમાં 5 આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ સિવાય 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશનો સંદર્ભ આપવામાં આવ્યો હતો, જે જણાવે છે કે એનડીપીએસના તમામ વિભાગો લેબલ નથી.