દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આદિવાસી સમાજ માટે વધુ 3 મોટી ગેરંટીની જાહેરાત.
અરવિંદ કેજરીવાલની આદિવાસી સમાજને 3 મોટી ગેરંટી
બંધારણની પાંચમી અનુસૂચિ અને PESA કાયદાનો કડક અમલ
દરેક આદિવાસી ગામડાઓમાં અમે સારી સ્કૂલો ખોલીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ફરીવાર કેજરીવાલે નવી ગેરંટી આપતા જણાવ્યું કે, 'અમારી સરકાર બનશે એટલે પહેલી ગેરંટી આદિવાસી સમાજ માટેની છે. જે સંવિધાનના ફિફ્ટ શિડ્યુલ (બંધારણની પાંચમી અનુસૂચિ) માં છે તેઓની માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરી વ્યવસ્થાને લાગુ કરીશું, વર્ડ ટુ વર્ડ વ્યવસ્થા લાગુ કરીશું. પેસા કાયદો જે તેઓની માટે બનાવવામાં આવ્યો છે કે જેમાં ગ્રામસભાની જોગવાઇ છે, ગ્રામસભાની મરજી વિના કંઇ જ નહીં થાય. આ અસલી જનતંત્ર છે.'
વધુમાં જણાવ્યું કે, 'મારું તો કહેવું છે કે, આવું પૂરા દેશનું અંદર હોવું જોઇએ. માત્ર આદિવાસી સમાજ માટે જ કેમ. પરંતુ આદિવાસી સમાજ માટે જોગવાઇ છે કે ગ્રામસભાની મરજી વિના કોઇ પણ સરકારને કોઇ પણ પ્રકારના એક્શન લેવાનો અધિકાર નથી. તે સખ્તી સાથે લાગુ કરાશે. અને જે ટ્રાયબલ એડ્વાઝરી કમિટી છે કે જેનું કામ હોય છે આદિવાસી સમાજના ક્ષેત્ર હોય છે તેમાં કેવો વિકાસ થવો જોઇએ, તેઓની માટે જે ફંડ આવે છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. કાયદાની અંદર લખ્યું છે કે ટ્રાઇબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન કોઇ ટ્રાયબલ હશે. પરંતુ ગુજરાતની અંદર મુખ્યમંત્રી જ હંમેશા માટે તેના ચેરમેન રહ્યાં છે. તેને બંધ કરવામાં આવશે. ટ્રાયબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાયબલ જ રહેશે.'
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
પહેલી ગેરંટી એ કે આદિવાસીઓ માટે ફિફ્ટ શિડ્યુલ લાગુ કરીશું, પેસા કાયદો લાગુ કરીશું અને ટ્રાઇબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાયબલ જ હશે.'
બીજી ગેરંટી એ કે આદિવાસી સમાજ આજે ખૂબ પછાત રહ્યો છે કારણ કે શિક્ષાનો અભાવ છે, ગરીબ લોકો છે તેઓ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને મોકલે છે પરંતુ સરકાર સ્કૂલો છે નહીં, છે તો તૂટલી હાલતમાં છે. અભ્યાસ પણ બરાબર નથી થતો. અમે દિલ્હીની અંદર શિક્ષાને શાનદાર બનાવી છે ત્યારે આજે હું આદિવાસી ભાઇઓ-બહેનોને આશ્વાસન આપું છું કે, જે રીતે દિલ્હીની સ્કૂલો અમે સારી બનાવી છે તે જ રીતે દરેક આદિવાસી ગામડાઓમાં અમે સારી સ્કૂલો ખોલીશું, જેથી બાળકોનું એક પેઢીની અંદર પછાતપણું અને ગરીબી પણ દૂર થશે.'
ત્રીજી ગેરંટી એ છે કે, તેમના મેડિકલ માટેની કોઇ સુવિધા નથી, તેમજ પ્રાઇવેટમાં ખર્ચો તોડી નાખે અને સરકારી દવાખાનાની અંદર કોઇ જ સુવિધા નથી. તો જે રીતે અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનીક ખોલ્યા છે એ રીતે દરેક ગામની અંદર અમે મોહલ્લા ક્લિનીક ખોલીશું કે જેમાં સંપૂર્ણ સારવાર ફ્રી હશે. આદિવાસી વિસ્તારની અંદર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલાશે.'
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની પત્રકાર પરિષદ #LIVEhttps://t.co/qLUpyNtGC2
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
વધુમાં તમને જણાવી દઇએ કે, અમે લોકોની રાજનીતિ કરીએ છીએ. જનતાના મુદ્દાની વાત કરીએ છીએ. અમે અત્યાર સુધી ત્રણ પ્રકારની ગેરંટી આપી છે જેમાં અમે વીજળીની ગેરંટી આપી છે. પંજાબમાં 25 લાખ લોકોનું ઝીરો બિલ આવ્યું છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો વીજળી મફત મળશે. 300 યુનિટ સુધી વીજળી મફત અપાશે. જૂના વીજ બિલ માફ કરવામાં આવશે. યુવાનોને રોજગારની ગેરંટી આપું છું. દિલ્હીમાં અમે 12 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવી. ગુજરાતના યુવકોને અમે રોજગાર આપીશું. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપીશું. પેપરલીક કરવાવાળાને સખત સજા આપવીશું. ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવી રહ્યાં છે. પરંતુ ગુજરાતના વેપારીઓએ દેશનું નામ રોશન કર્યું છે. વેંટમાં પણ પેન્ડિંગ રીફન્ડ જારી કરીશું.'