દિલ્હીમાં કોરોના વાયરસની મહામારીને લઇને પરિસ્થિતિ સતત બગડી રહી છે. જો કે હવે કોરોના વાયરસ રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગઇકાલે તાવ આવતાં ઘરે આઇસોલેટ થયા હતા. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ કોરોના ટેસ્ટના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
અરવિંદ કેજરીવાલની રવિવાર સાંજથી તબિયત ખરાબ
અરવિંદ કેજરીવાલ ઘરે થયાં છે આઇસોલેટ
અરવિંદ કેજરીવાલનો કરાયો કોરોના ટેસ્ટ
આમ જે રીતે દિલ્હીમાં કોરોના વાયરનો કહેર જોવા મળી રહ્યો છે ત્યાર તેની આહટ હવે મુખ્યમંત્રી નિવાસસ્થાન સુધી પહોંચેલી જોવા મળી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત રવિવાર સાંજથી બગડી હોવાનું સામે આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલને ઉધરસ સાથે તાવની ફરિયાદ હતી, જેને લઇને ગઇકાલે સીએમ કેજરીવાલે પોતાની જાતને આઇસોલેટ કર્યાં હતા. ત્યારે આજે સીએમ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે.
રિપોર્ટ પોઝિટિવ આવવા પર કેબિનેટની થઇ શકે છે તપાસ
સૂત્રોના જણાવ્યાં અનુસાર જો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે છે તો પુરી કેબિનેટ અને તેમની સાથે કરનારની ટીમ તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથે કામ કરનારા તમામ લોકોને આઇસોલેશનમાં જવું પડશે. જેનું મુખ્ય કારણ છે કે દિલ્હીમાં રાજ્ય સરકારે રવિવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં કેજરીવાલના કેબિનેટ સહયોગી ઉપસ્થિત હતા. આ દરમિયાન કેજરીવાલની ટીમ પણ તેમના નિવાસસ્થાને હતી.
સોશિયલ મીડિયા પર ટ્રેંડ થયો ''ટેક કેયર એકે'
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થવાની સૂચના બાદ તેમના સ્વસ્થ થવાના સંદેશાઓને લઇને સોશિયલ મીડિયા પર ટ્રેંડ ચાલી રહ્યો છે. થોડા જ સમયમાં 'ટેક કેર એકે' ટ્રેન્ડ થવા લાગ્યો. પાર્ટીના ઘણા નેતાઓ, ધારાસભ્યો સહિત સમર્થકોએ તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી.