કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'ઘણા દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. શા માટે આપણે વિલંબ કરી રહ્યા છીએ?
કેજરીવાલે ટ્વિટ કરીને PM મોદીને સલાહ આપી
આ પહેલા કેજરીવાલે નવા વેરિયન્ટ મુદ્દે PM મોદીને પત્ર લખ્યો
ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો.
कई देशों ने ऑमिक्रान प्रभावित देशों से आने वाली उड़ानें बंद कर दी हैं। हम देरी क्यों कर रहे हैं? पहली वेव में भी हमने विदेशी उड़ानें रोकने में देरी कर दी थी। अधिकतर विदेशी उड़ानें दिल्ली में आती हैं, दिल्ली सबसे ज़्यादा प्रभावित होती है। PM साहिब कृपया उड़ानें तुरंत बंद करें https://t.co/A3a1QKz7pz
કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છે. પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે
દિલ્હીમાં સંભવિત ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તૈયારીઓ કરી
કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા પ્રકાર Omicron માટે હોસ્પિટલ બનાવી છે. આ હેઠળ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે LNJPમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી.
આ પહેલા CM કેજરીવાલે નવા વેરિયન્ટ મુદ્દે પીએમ મોદીને એક પત્ર લખ્યો
આ પહેલા પણ દિલ્હીના સીએમએ નવા વેરિયન્ટ મુદ્દે પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, કોરોના એક નવો વેરિયન્ટ ભારતમાં પ્રવેશે તે પહેલા તેને રોકવા માટે આપણે સૌ કોઈએ તમામ પ્રયાસો કરવા જોઈએ. યુરોપ સહિત કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટથી પ્રભાવિત વિસ્તારોમાં યાત્રા પર પ્રતિબંધ કરી દીધો છે. ભારતમાં પણ આ વેરિયન્ટ પણ આ વેરિયન્ટ થી પ્રભાવિત જગ્યાઓ પર આવવા વાળી ફ્લાઈટ પર રોક લગાવી દેવી જોઈએ. આ સંબંધમાં થોડી વાર પણ નુક્સાનકારક સાબિત થઈ શકે છે.
ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરતાં કહ્યું કે, સંક્રમણનો દર ઘણો વધી શકે છે. અને દર્દીઓ ગંભીર લક્ષણો વિક્સિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ નવા વેરિયન્ટમાં ઓછામાં ઓછા 10 મ્યુટેશન છે. જ્યારે ડેલ્ટામાં માત્ર બે પ્રકારના મ્યુટેશન મળી આવ્યાં હતાં. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ની એક સમિતિએ કોરોના વાયરસના આ નવા સ્વરૂપને ઓમિક્રોન નામ આપ્યું છે.