કેન્દ્ર સરકાર કશ્મીરી પંડિતોની સુરક્ષા માટેની વ્યવસ્થા કરે: કેજરીવાલ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે AAPના કાર્યકર્તાઓએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ મહેસાણામાં AAPની તિરંગા યાત્રામાં સામેલ થશે. જો કે, એ પહેલાં કેજરીવાલે કશ્મીરી પંડિતો મુદ્દે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, 'કશ્મીરમાં પંડિતો સાથે અન્યાય થઇ રહ્યો છે. સ્થિતિ ખરાબ થતા કશ્મીરી પંડિતો પલાયન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર કશ્મીરી પંડિતોની સુરક્ષા માટેની વ્યવસ્થા કરે.'
દેશનાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે 'આપ' ગુજરાતનાં નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 6, 2022
182 વિધાનસભામાં AAPના કાર્યકર્તાઓ ગયા છે: કેજરીવાલ
એ સિવાય પોતાના પક્ષને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, '182 વિધાનસભામાં AAPના કાર્યકર્તાઓ ગયા છે. ગુજરાતમાં 600થી વધુ સભા કરવામાં આવી.' મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ આજે મહેસાણા ખાતે AAPની તિરંગા યાત્રામાં સામેલ થવા જઇ રહ્યાં છે. જ્યાં તેઓ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. આ સાથે ગોપાલ ઇટાલિયાએ એમ કહ્યું કે, 'મહેસાણા ગુજરાતની શ્વેત ક્રાંતિનું સ્થળ છે.'
तिरंगा हमारी आन है
तिरंगा हमारी बान है
तिरंगा हमारी शान है
तिरंगा हमारी जान है
आज शाम को गुजरात के मेहसाणा में तिरंगा यात्रा में शामिल होऊँगा
गुजरात के सभी लोग इसमें शामिल हों- ऐसी मेरी बिनती है।
મહેસાણા મેં તિરંગા યાત્રા મેં ગુજરાત કે સભી લોગ ઇસમેં સામેલ હો: કેજરીવાલ
ઉલ્લેખનીય છે કે, આજ રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે એ પહેલાં તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'તિરંગા હમારી આન, બાન, શાન ઔર જાન હૈ. આજ શામ કો ગુજરાત કે મહેસાણા મેં તિરંગા યાત્રા મેં સામેલ હોઉંગા. ગુજરાત કે સભી લોગ ઇસમેં સામેલ હો. - એસી મેરી વિનંતી હૈ.'