કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. હાલમાં સરકાર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ છે. ત્યારે દરરોજ કમાઈને ખાતા લોકોને પરેશાની થઈ રહી છે. ત્યારે હવે અરવલ્લીના મોડાસાની સામાજીક સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારોની મદદ કરવામાં આવી છે.