બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / arunachal state becomes indias first corona free state

BIG NEWS / મોટી રાહત: પૂર્વોત્તર ભારતનું આ રાજ્ય બન્યું કોરોનામુક્ત, એક પણ ન નોંધાયો કોરોનાનો કેસ

Pravin

Last Updated: 12:33 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો આવ્યો છે, જેથી હાલ તો ભારત માટે બહું મોટા રાહતના સમાચાર છે.

  • ભારતમાં કોરોના ઘટી રહ્યો છે
  • કોરોનાના કેસોમાં આવ્યો છે મોટો ઘટાડો
  • આ એક રાજ્ય થયું કોરોનામુક્ત રાજ્ય

 

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા કેટલાય દિવસોથી કમી આવી રહી છે. આ તમામની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચર પ્રદેશ દેશનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બની ગયું છે. લોહિત જિલ્લામાં એકમાત્ર કોરોના દર્દી સાજા થઈ જતાં રાજ્યને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યમાં નથી એક પણ કોરોનાનો કેસ

અરુણાચલ પ્રદેશમાં રાજ્યની દેખરેખ રાખતા અધિકારી લોબસાંગ જમ્પાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19નો કોઈ નવો કેસ આવ્યો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 296 લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી કોરોના રિકવી રેટ 99.54 ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12.68 લાખથી વધારે લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રાજ્ય વેક્સિનેશન અધિકારી ડો. દિમોંગ પાડુંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16,58,536 થી વધારે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. 

એક્ટિવ કેસ ઘટીને 15 હજાર 859 થઇ ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ગઈ કાલે 1 હજાર 567 લોકો સાજા થયા હતાં ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15 હજાર 859 થઈ ગઈ છે. આ સાથે આ મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 21 હજાર 35 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 4 કરોડ 24 લાખ 83 હજાર 829 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં છે.

દેશમાં અત્યાર સુધીમાં 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. ગઈ કાલે 4 લાખ 20 હજાર 842 ડોઝ આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં રસીના 183 કરોડ 26 લાખ 35 હજાર 673 ડોઝ આપવામાં આવ્યાં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, 2 કરોડથી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તો કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2જી ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ