9 ઓગસ્ટનાં સવારનાં અંદાજે 10 કલાકની આસપાસ સમય થયો હતો. જ્યારે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી ગ્રેટર કૈલાશ સ્થિત પોતાનાં આવાસ પર નાસ્તો કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યાં.
ત્યારથી જ અરૂણ જેટલી સારવાર હેઠળ એઇમ્સનાં પાંચ વિભાગોનાં 12 ડૉક્ટરોની ટીમ સારવારમાં જોડાઇ ગઇ હતી પરંતુ 21 ઓગસ્ટની રાત્રીનાં અચાનક જ નાણાંમંત્રીનું સ્વાસ્થ્ય વધારે અસ્વસ્થ થતું ગયું. તેમનાં જીવનનાં અંતિમ દિવસોને વિશે શનિવારનાં રોજ એઇમ્સનાં વરિષ્ઠ ડૉક્ટરોએ વિસ્તૃત રૂપથી જણાવ્યું.
એક વરિષ્ઠ ડૉક્ટરનું કહેવું એમ છે કે અરૂણ જેટલી (Arun Jaitley)નું સ્વાસ્થ્ય (Health) શરૂઆતથી જ ખૂબ ગંભીર પડકારોથી ઘેરાયેલું હતું. ક્યારેક તેમનાં શરીર પર દવાઓ ઉત્તમ રીતે કામ કરતી તો ક્યારેક તેમનો શ્વાસ અદ્ધર થવા લાગતો. અંતિમ ત્રણ દિવસોમાં તો હાલત બિલકુલથી બદલાઇ ગઇ હતી. અમે તે બધું જ કર્યુ કે જે એક દર્દીને બચાવવામાં કરાય છે. દવાઓનો ડોઝ વધારવો, વેંટીલેટરથી એક્મો પર લઇ ગયા, હાર્ટપંપ સિવાય ફેફસાંથી ચેપને દૂર કરવામાં આવ્યું.
અમે શુક્રવારનાં રોજ ફરી પેટમાં ચેપને ધ્યાને રાખતા તેઓની સારવાર શરૂ કરી હતી કે અંદાજે 8 વાગ્યા બાદ શુક્રવારનાં રોજ પેટમાં તે ચેપ તેજીથી શરીરનાં બાકીનાં અંગોને કવર કરવા લાગ્યો. આખરે ગઇ કાલનાં રોજ રાત્રીએ અરૂણ જેટલીની તબિયત વધારે બગડવા લાગી. રાત્રીનાં અંદાજે 25 લોકોની ટીમ કાર્ડિએક ન્યૂરો સેન્ટર સ્થિત આઇસીયૂમાં હાજર હતી. અમને એવું લાગી જ રહ્યું હતું કે, હવે બચાવવા સંભવ નથી પરંતુ તેમ છતાં અમે સંપૂર્ણ મહેનત કરી.
સવાર સુધી ખૂબ સારી અસર પણ અમને જોવાં મળી તો સંપૂર્ણ ટીમને ખુશી થઇ પરંતુ થોડાંક જ કલાકો બાદ સવારનાં અંદાજે 9 કલાકની આસપાસ તેમની તબિયત અચાનકથી બગડી ગઇ. દરેક દવા તેમનાં શરીર પર ફેલ થવા લાગી હતી. માનો કે જાણે શરીર જ રેસ્પાંસ ના કરી રહ્યું હોય. આખરે બપોરનાં 12 કલાક ને 7 મીનિટ પર તેઓએ અંતિમ શ્વાસ લીધાં. પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી જતા-જતા પણ બીમારીથી સતત લડતા રહ્યાં.
ડૉક્ટરોએ જણાવ્યું કે, ધીરે-ધીરે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનું એક-એક અંગ શરીરનો સાથ છોડી રહ્યો હતો. પહેલા હાર્ટ, પછી ફેફસાં, કિડની પણ સોજાની ઝપેટમાં હોવાંને કારણ ડાયાલિસિસ પર હતી. પેટમાં ચેપ એટલો ઘણો વધવા લાગ્યો કે અંતમાં તેમણે બચાવી ના શકાયાં.