ઉત્તરપ્રદેશમાં રામલીલામાં કામ કરતા વિધર્મી કલાકારને ધમકી મળી છે. જેમા તેને અમુક લોકોએ એવી ધમકી આપી છે કો જો હવે રામનો રોલ પ્લે કરશે તો પરિણામ ભોગવવું પડશે
રામલીલામાં કામ કરતા કલાકારને મળી ધમકી
રામનો રોલ પ્લે કરી રહેલા વિધમી કલાકારનમે ધમકી
કલાકારે સમગ્ર મામલે પોલીસમાં નોંધાવી ફરિયાદ
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અહીયા રામલીલામાં મસ્લીમ કલાકારો રોલ પ્લે કરી રહ્યા હતા. જેને અમુક લોકોએ તેનો વિરોધ કર્યો છે. સાથેજ કલાકારોને એવી ધમકી પણ આપી છે કે જો તમે રામલીલીમાં રોલ પ્લે કર્યો તો તમારા માટે સારુ નહી રહે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રામલીલા યોજવા યોગી સરકારનો આદેશ
કલાકારને એવી ધમકી મળી છે કે જો તમે રામલીલીમાં રોલ પ્લે કર્યો તો તેનું પરિણામ પણ ભોગવવું પડશે. સમગ્ર મામલે રામલીલાને લઈને યોગી સરકાર દ્વારાજ આયોજન કરવાના આદેશ આપ્યો છે. પરંતુ અમુક લોકોએ મુસ્લિમ કલાકારોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ધમકી મળતાજ કલાકારોએ પોલીસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે.
એક્ટિંગ સારી કરવાને કારણે રામનો રોલ મળ્યો
જે કલાકારોને ધમકી મળી છે તેમાથી એક કલાકાર છેલ્લા 15 વર્ષથી આ રંગમંચ સાથે જોડાયેલો છે. તેમણે ઘમા નાટકોમાં રોલ પ્લે કર્યો છે. એક્ટિંગ સારી હોવાને કારણે તેને રામ લીલામાં રામનો રોલ પ્લે કરવાની ઓફર મળી હતી. જેથી તેઓ હાલ ભગવાન રામનો રમાલીલામાં રોલ પ્લે કરી રહ્યા છે.
લોકોએ કલાકારને આપી ધમકી
કાલાકરનું કહેવું છે કે તે ઘણી વખત તો તે થિયેટરમાંથી મેકઅપ અને તિલક સાથે ઘરે જતા હોય છે. જેને જોઈને અમુક લોકોને નથી ગમતું. સાથેજ તેણે કહ્યું કે હું ભગવાન રામનો રોલ પ્લે કરું છું અને માથા પર તિલક લગાવું છું તેના કારણે અમુક લોકો મને ધમકી આપી રહ્યા છે.
કલાકાર પર પરિવારનો ભાર
ઉલ્લેખનીય છે કે ધમકીમે કારણે કલાકારના પરિવારમાં પણ ભય ફેલાયેલો છે. એક કલાકારનું કહેવું છે કે ઘરમાં કમાનાર તે એકલોજ છે. તેની બે બહેનો પણ છે. જેથી તેનું કહેવું એમ છે કે જો હું ડરીને કામ કરાવનું બંધ કર દઈશ તો પછી મારા પરિવારનું શું થશે.