જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યાને લગભગ 3 અઠવાડિયા જેટલો સમય થઈ ચૂક્યો છે. હવે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ પણ સામાન્ય બની છે. આ સમયે કેન્દ્ર સરકારે આ નિર્ણયની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી શાહ ફૈઝલ, શેહલા રશીદે દાખલ કરી છે. આ સિવાય આજે કેન્દ્રની તરફથી પ્રતિનિધિમંડળ પણ કાશ્મીર જશે. જે અહીં વિકાસની સંભાવનાઓને શોધશે.
અપહરણ પછી પુલવામાના જંગલોમાં થઈ એક વ્યક્તિની હત્યા
પુલવામામાં સોમવારે આતંકીઓએ જંગલથી ઘુમંતુ ગુજ્જર સમુદાયના બે લોકોનું અપહરણ કર્યું. ત્યારપછી એકની ગોળી મારીને હત્યા કરી. સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જમ્મુ કાશ્મીરના પોલિસ પ્રવક્તાએ જણાવ્યું કે રાજોરી જિલ્લાના અબ્દુલ કાદિર કોહલી અને શ્રીનગરના ખોનમોહ વિસ્તારના મંજૂર અહમદનું આતંકીઓએ ત્રાલના જંગલોમાંથી સોમવારે સાંજે 7-30 વાગે અપહરણ કર્યું હતું. ત્યારપછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને તેઓને એક મૃતદેહ મળ્યો. સાથે જ અન્ય વ્યક્તિની તપાસ ચાલુ છે.
આજે કાશ્મીર જશે કેન્દ્રનું પ્રતિનિધિમંડળ
કેન્દ્ર સરકારની તરફથી કાશ્મીરમાં વિકાસની સંભાવનાઓને શોધવામાં આવી રહી છે. આ બાબતને લઈને આજે એક પ્રતિનિધિમંડળ ઘાટીની મુલાકાત લેશે. સ્થાનીય લોકોની માંગ છે કે સરકારે અહીં ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઈએ. આજે બે દિવસ માટે કેન્દ્રની તરફથી અલ્પસંખ્યક મંત્રાલયની ટીમ કાશ્મીર પહોંચશે. તેમાં મંત્રાલયના અનેક સચિવ પણ સામેલ હશે. આપને જણાવી દઈએ કે ઘાટીમાં ઇન્વેસ્ટમેન્ટનું પણ આયોજન થવાનું છે. એવામાં તેમને લઈને અધિકારીઓ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાશ્મીર મુદ્દે ગૃહમંત્રાલયમાં મોટી બેઠક
જમ્મૂ કાશ્મીરને લઈને ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ પર થનારી સચિવ સ્તરની બેઠકમાં રાજ્યના અન્ય સચિવ પણ હાજર રહેશે. આ બેઠક બપોરે 12 વાગે થશે. 31 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 પર સુનાવણી
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી દેવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી કુલ 7 લોકોએ દાખલ કરી છે. જેમાં શાહ ફૈઝલ અને શેહલા રશીદ પણ સામેલ છે. આ બાબતે 28 ઓગસ્ટે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિવાદ અંગે અનેક અરજી દાખલ કરવામાં આવી છે પરંતુ સર્વોચ્ચ અદાલતે તેને ઝડપથી ઉકેલવાની મનાઈ કરી છે.
ઘાટીમાં સામાન્ય થઈ રહી છે સ્થિતિ
જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવાને ત્રણ અઠવાડિયાથી પણ વધારે સમય થયો છે. અહીં સ્થિતિ પણ સામાન્ય થવા લાગી છે. આ સમયે કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ સિવાય આજે કેન્દ્રની તરફથી એક પ્રતિનિધિમંડળ કાશ્મીર જશે અને વિકાસની શક્યતાઓને શોધશે.