બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
અર્જુન કપૂરે આપ્યુ ભયાનક નિવેદન
પોસ્ટમાં સંબંધોને લઇને કહી વાત
પરિવાર વિશે પણ આપ્યું નિવેદન
અભિનેત્રી મલાઈકા અરોરા સાથેનો તેનો સંબંધ હોય કે પછી બહેનો જાન્હવી કપૂર, ખુશી કપૂર, અંશુલા કપૂર અને પિતા બોની કપૂર સાથેનો તેનો સંબંધ હોય, તે હંમેશા એક યા બીજા કારણોસર હેડલાઈન્સમાં રહે છે.
અર્જુનની પોસ્ટ
અર્જુન પણ બોલિવૂડના એવા સિતારાઓમાંનો એક છે જે પોતાની અદભુત સ્ટાઈલ માટે જાણીતો છે. શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 ના રોજ, અર્જુને તેના Instagram એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી. જેમાં તેણે પરિવાર અને સંબંધો વિશે લખ્યું છે. અર્જુને આ પોસ્ટમાં રિલેશનશિપ વિશે શું કહ્યું તે વાંચીને ઘણા લોકોને ખરાબ લાગશે.
પોસ્ટમાં શું લખ્યું હતું
અર્જુન પોતાની પોસ્ટમાં લખે છે કે, 'ફક્ત લોહીનો સંબંધ પરિવાર નથી'. લોહીના સંબંધ કરતાં પણ વધુ એક સંબંધ છે જે તમે તમારા જીવનમાં ઇચ્છો છો. તેઓ તમને જેમ છો તેમ સ્વીકારે છે. તમારા ચહેરા પર ખુશી જોવા માટે તે કંઈપણ કરશે. ગમે તે હોય તે હંમેશા તમને પ્રેમ કરશે.
પરિવાર વિશે અર્જુન કપૂરનો ખુલાસો
થોડા દિવસો પહેલા, એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, 'આ સંપૂર્ણપણે ખોટું છે કે અમે એક છત નીચે એક સુખી પરિવારની જેમ રહીએ છીએ. અમે સાથે રહેતા નથી પરંતુ દરેક સમયે એકબીજા સાથે વાત કરીએ છીએ. અર્જુને કહ્યું, 'મારી બહેનો મારું સન્માન કરું છું અને હું તેમનું સન્માન કરું છું. જ્યાં સુધી મારા સ્વભાવની વાત છે, હું કોઈના જીવનમાં બળપૂર્વક પ્રવેશતો નથી. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે રમુજી વાતો કરીએ છીએ. હું ક્યારેક સોશિયલ મીડિયા પર તેની મજાક પણ ઉડાવું છું.