બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:20 PM, 1 June 2023
ADVERTISEMENT
મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના પ્રેમની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. બન્નેને લઈને કોઈને કોઈ ખબર સામે આવતી રહે છે. બન્નેના લગ્ન અને બ્રેકઅપને લઈને મોટાભાગે અફવાહ સાંભળવા મળે છે. પરંતુ હવે અર્જુન કપૂરે એક ખબર વિશે વાત કરી છે. જેનાથી તેને ખુબ ગુસ્સો આવ્યો હતો.
ADVERTISEMENT
છપાઈ હતી મલાઈકાના પ્રેગ્નેન્ટ હોવાની ખબર
ગયા વર્ષે નવેમ્બરમાં મલાઈકા અરોડાના પ્રેગ્નેન્ટ હોવાની અફવાહ ઉડી હતી. એવામાં અર્જુને ખબર છાપનાર પબ્લિકેશનને ફટકાર લગાવી હતી. હવે એક ઈન્ટરવ્યૂમાં તેમણે તેને લઈને વાત કહી છે.
અર્જુન જણાવે છે કે મીડિયાને આવું કંઈ પણ પોસ્ટ ન કરવું જોઈએ જે બીજાનું જીવન બદલી નાખે તેવું હોય. તેમણે કહ્યું કે નેગેટિવિટી ફેલાવવી સરળ છે કારણ કે તેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે અને આ ઘણા સમયથી થઈ રહ્યું છે.
પર્સનલ લાઈફ રહેવી જોઈએ પ્રાઈવેટ
એક્ટર અનુસાર તેમને ખબર છે કે એક્ટર તેમની પર્સનલ લાઈફ હંમેશા પ્રાઈવેટ નથી રાખી શકતા. જોકે તેમણે કહ્યું કે પત્રકારોએ કમસે કમ સેલેબ્સ પાસેથી અમુક વસ્તુઓને કન્ફર્મ તો કરવી જોઈએ.
એક્ટરે કહ્યું કે તે સમજે છે કે સેલેબ્સ ઓડિયન્સ સુધી પહોંચવા માટે મીડિયા પર નિર્ભર રહે છે. પરંતુ તેમના પાસે ચેક કર્યા વગર પત્રકારોએ તેમના વિશે કંઈ પણ ન છાપવું જોઈએ. અને કંઈ પણ માની ન લેવું જોઈએ.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો સ્ક્રીનશૉટ
અર્જુન કપૂરે જણાવ્યું કે તેમને ખબરના આવવાના થોડા સમયમાં જ સિચુએશનને હેન્ડલ કરી લીધી હતી. તેમણે ખબરના સ્ક્રીનશૉટ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા.
મલાઈકા અને અર્જુન ઘણા વર્ષોથી એક બીજા સાથે રિલેશનમાં છે. એક્ટ્રેસે કહ્યું હતું કે તે પોતાના સંબંધમાં ખુશ છે અને લગ્નની ચિંતા નથી કરી રહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.